________________
જ્ઞાનીના ફળની જેમ ફળને પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય હોવાથી તે સામર્થ્યને લઈને પરિપૂર્ણ યોગ્યતા હેલી છે. તેઓ ધર્માચાર્ય-ગુરુભગવંતને વિશે ભાવથી પ્રતિબદ્ધ હોવાથી દીક્ષા માટે સર્વથા યોગ્ય જ છે. આ પ્રમાણે આપ્તપુરુષો ફરમાવે છે. તેઓશ્રીએ ફરમાવ્યું છે કે બીજા ગુણો ન હોય તો પણ માત્ર સંસારવિરક્ત હોય તો તે દીક્ષાનો અધિકારી છે. ધર્માચાર્યોને વિશે ભાવથી પ્રતિબદ્ધતા સંસારની વિરક્તતા વિના શક્ય નથી. સંસાર પ્રત્યે રાગ હોય તો ધર્માચાર્યો પ્રત્યે રાગ ન થાય. સંસાર પ્રત્યેનો રાગ ધર્માચાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાને કોઈ પણ રીતે આવવા દેતો નથી. જ્ઞાનીને અનુસરનારા એવા તે અજ્ઞાની આત્માઓ ગુરુભગવંત પ્રત્યે પ્રતિબદ્ધ હોવાથી ચોક્કસપણે તેઓ સંસાર પ્રત્યે વિરક્ત છે અને તેથી જ તેઓ દીક્ષા માટે અધિકારી છે. ll૧૨-પા.
હવે, જ્ઞાની અને જ્ઞાનીની નિશ્રામાં રહેતા એવા અજ્ઞાની : એ બંનેને દીક્ષાનું સમાન ફળ પ્રાપ્ત થતું હોવાથી એ યોગ્ય આત્માઓને દીક્ષા આપવી જોઈએ તે જણાવવા પૂર્વક, જેને દીક્ષાનું વિષમવિપરીત]ફળ પ્રાપ્ત થતું હોય એવા અયોગ્યને દીક્ષા આપવી ના જોઈએ-તે જણાવાય છે –
देयाऽस्मै विधिपूर्वं सम्यक् तन्त्रानुसारतो दीक्षा । निर्वाणबीजमेषेत्यनिष्टफलदान्यथाऽत्यन्तम् ॥१२-६॥
ગાથાર્થ સુગમ છે. કહેવાનો આશય એ છે કે આ યોગ્ય-ને અવિપરીત રીતે વિધિપૂર્વક શાસ્ત્રનીતિ મુજબ દીક્ષા