________________
સ્થાનને પ્રાપ્ત કરે-એ સમજી શકાય છે. ચક્ષુષ્માન આગળ ચાલે અને તેની પાછળ ચક્ષુવિહીન[અંધ માણસ ચાલે. આ રીતે માર્ગે જતાં બંનેને બહુ-બહુ તો એક પગલા જેટલું જ અંતર રહે છે, તેથી વધારે નહિ. અથવા હાથ પકડીને ચાલે તો ઈષ્ટ સ્થાને પહોંચતાં એટલું પણ અંતર રહેતું નથી. એક જ કાળમાં તેઓ બંને ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરે છે. આવી જ રીતે જ્ઞાની પૂિ. ગુરુભગવંતાદિ અને અજ્ઞાની [માષતુષાદિ મુનિભગવંતો મહાત્માઓ પણ ગંતવ્ય-મોક્ષસ્વરૂપ સ્થાનને એક જ કાળમાં પ્રાપ્ત કરે છે. જ્ઞાની અને તેમને જ અનુસરનારા અજ્ઞાની : બંને સન્માર્ગગમનમાં પ્રવૃત્ત હોવાથી મુક્તિસ્વરૂપ સ્થાનને પ્રાપ્ત કરવામાં કોઈ જ અંતર પડતું નથી... II૧૨-૪
આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીને એકરૂપ ફળની પ્રાપ્તિ થાય છે-તે જણાવીને હવે વિશેષજ્ઞાનથી રહિત હોવા છતાં પણ તેની દીક્ષા માટેની યોગ્યતા જણાવાય છે –
यस्यास्ति सक्रियायामित्थं सामर्थ्ययोग्यताऽविकला ।
गुरुभावप्रतिबन्धाद् दीक्षोचित एव सोऽपि किल ॥१२-५॥ * “જેની સક્રિયામાં જ્ઞાનીને પ્રાપ્ત થનારા ફળને પ્રાપ્ત કરાવવાના સામર્થ્યના કારણે પરિપૂર્ણ યોગ્યતા રહેલી છે, તેને પૂ. ગુરુભગવંત પ્રત્યે ભાવથી પ્રતિબંધ હોવાથી તે પણ દીક્ષા માટે ખરેખર યોગ્ય જ છે.”- આ પ્રમાણે પાંચમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે જેમને વિશિષ્ટ જ્ઞાન ન હોય તોપણ તેમની સદાચારસ્વરૂપ ક્રિયામાં પૂર્વે જણાવ્યા મુજબ