________________
જ્ઞાનના અભાવમાં કઈ રીતે થાય-આવી શકાનું સમાધાન કરાય છે
चक्षुष्मानेकः स्यादन्धोऽन्यस्तन्मतानुवृत्तिपरः गन्तारौ गन्तव्यं प्राप्नुत एतौ युगपदेव ॥१२- ४॥
“એક ચક્ષુવાળો [દેખતો] અને બીજો તેને અનુસરનારો ચક્ષુવિહીન [અંધ] છે. ગન્તવ્ય-ઈષ્ટ સ્થાને બંન્ને એકી સાથે જ પહોંચે છે.’- આ પ્રમાણે ચોથી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે, જ્ઞાની અને અજ્ઞાની માષતુષાદિ પૂ. મહાત્માઓ : એ બંન્નેની દીક્ષા કલ્યાણકારિણી છે-એ પ્રમાણે જણાવ્યું છે, તો આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીને એકસરખું ફળ કઈ રીતે મળે-આવી શંકાના સમાધાન માટે દૃષ્ટાંત જણાવાય છે : કોઈ એક માર્ગગમનમાં પ્રયત્નશીલ, નિર્મળ અને અનુપહત [રોગરહિત] ચક્ષુવાળો માણસ હોય અને બીજો ચક્ષુહીન [અંધ] પરંતુ માર્ગાનુસારી અને વિશિષ્ટવિવેકસંપન્ન હોવાથી ચક્ષુવાળા માણસના અભિપ્રાય મુજબ તેના જણાવ્યા મુજબ પ્રવૃત્તિ કરવામાં તત્પર હોય અર્થાર્ બીજા બધાના અભિપ્રાય મુજબ ન ચાલતાં માત્ર ચક્ષુષ્માનના અભિપ્રાય મુજબ પ્રવૃત્તિ કરવામાં તત્પર હોય એ બંન્ને જણા ગંતવ્ય [ઈષ્ટ] સ્થાનમાં એક જ કાળે પહોંચે છે. ચક્ષુવાળો માણસ માર્ગને સ્પષ્ટપણે દેખતો હોવાથી અને ચક્ષુવિહીન માણસ માર્ગાનુસારિતાને પ્રાપ્ત કરાવનારા અદૃષ્ટ [શુભકર્મ]ના કારણે પ્રવર્તકને છોડીને બીજાનું અનુસરણ કરતો ન હોવાથી એ બંન્ને એક સાથે ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરે છે. દેખતા અને તેમને અનુસરતા ઃ બંન્ને એક સાથે ઈષ્ટ
:
૩૪૦