________________
કરનાર જો કોઈ હોય તો તે પરમતારક ગુરુભગવંત છે. પાપથી ભયભીત હોવાના કારણે સહજ રીતે જ પાપથી દૂર રાખનારા પૂ. ગુરુભગવંત પ્રત્યે બહુમાન-ભક્તિભાવ જન્મ છે. ભયથી મુક્ત થવા શરણ વિના બીજો કોઈ ઉપાય નથી. પાપના ભયથી મુક્ત થવા પાપથી મુક્ત કરનારા પૂ. ગુરુભગવંતના શરણે ગયા વિના ચાલે એવું નથી-એમ સમજીને પાપભીરુ આત્માઓ પૂ. ગુરુભગવંતો પ્રત્યે અત્યંત બહુમાન મેળવી લે છે અને તેથી મિથ્યાભિનિવેશને તેઓ ધારણ કરતા નથી. અભિનિવેશ-આગ્રહ, સામાન્ય રીતે બહુમાનનો નાશ કરે છે. મિથ્યા અભિનિવેશના કારણે પૂ. ગુરુભગવંત પ્રત્યે બહુમાન રહેતું નથી. તેથી ગુરુભક્ત ગ્રહરહિત હોવા જોઈએ.
શ્રુતમયાદિ ત્રણ જ્ઞાનથી સહિત મહાત્માઓને જ્ઞાનના ફળ સ્વરૂપે ભવવિરક્તતા વગેરેની જેમ પ્રાપ્તિ થાય છે, તેમ શ્રદ્ધા, પાપભીરુતા, ગુરુબહુમાન અને અભિનિવેશનો અભાવ વગેરે ગુણોથી યુક્ત એવા માષતુષાદિ મુનિભગવંતોને પણ જ્ઞાન ન હોવા છતાં ભવવિરક્તતાદિ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી ફળને આશ્રયીને માષતુષાદિ મુનિભગવંતો પણ જ્ઞાની જ છે. આથી સ્પષ્ટ છે કે માષતુષાદિ મહાત્માઓની દીક્ષા પણ જ્ઞાનપૂર્વકની જ હોવાથી તે કલ્યાણકારિણી છે. ૧૨-all
માત્ર ગુરુબહુમાનાદિના કારણે ત્રણ જ્ઞાનથી વિકલ એવા માણતુષાદિ મહાત્માઓને સન્માર્ગગમનાદિ કઈ રીતે શક્ય બને? કારણ કે સન્માર્ગગમનાદિ; જ્ઞાનનું કાર્ય છે, તે