________________
વર્ણવવામાં કોઈ દોષ નથી.
જેની પરંપરા નાશ પામેલી છે એવા રાગાદિ કે જ્ઞાનાવરણીયાદિ કર્મ સ્વરૂપ દોષના કારણે જેઓ શ્રદ્ધાવાન છે, તેવા જ અજ્ઞાનીનું અહીં ઉપાદાન છે. રાગાદિદોષો જેમના સાનુબંધ એટલે કે ઉત્તરોત્તર જેની પરંપરા ચાલુ છે. તેવા છે તેવા શ્રદ્ધાવાન અજ્ઞાનીનું અહીં ગ્રહણ નથી. આવા જીવોને નિરુપક્રમક્લિષ્ટ કર્મના યોગે કોઈ વાર ભાવનો પ્રતિઘાત થવાથી; એટલાપૂરતી મંદ શ્રદ્ધા હોવા છતાં તે સ્થિર હોતી નથી. કારણ કે નજીકના સમયમાં જ ક્લિષ્ટ કર્મનો ઉદય શરૂ હોવાથી શ્રદ્ધા નાશ પામે છે. આથી અહીં નિરનુબંધદોષનું ગ્રહણ છે, સાનુબંધદોષનું ગ્રહણ નથી.
આવી જ રીતે અનાભોગવાન પણ સામાન્ય રીતે સૂક્ષ્મબુદ્ધિથી સમજી શકાય એવા ગ્રંથના અર્થના જ્ઞાનથી રહિત વિવક્ષિત છે. શ્રાદ્ધ અને અનાભોગવાળા પાપભીરુ લેવાના છે. તેમની તે પાપભીરુતામાં ભવવિરક્તતાને કારણ તરીકે વર્ણવી છે. જેમને વાસ્તવિક રીતે ભવની પ્રત્યે વૈરાગ્ય થયો નથી; તેઓ વાસ્તવિક રીતે પાપના ભીરુ [ડરવાળા) પણ નથી. પાપનું મૂળ જ ભવનો રાગ છે. પુણ્યથી સુખમય જણાતા ભવની પ્રત્યે રાગ થાય તો તે આત્મા ગમે તે પાપ કરવા તૈયાર થઈ જાય છે. પાપનું કારણ રાગ છે અને તેથી દુઃખ ઉપર દ્વેષ થતો હોવાથી તેનો તે પ્રયોજક બને છે. પરિણામે જીવ; સુખને પામવા અને દુઃખને ટાળવા પાપ કરે છે. આથી ભવથી વિરક્ત પાપના ભીરુ હોય છે : એ સમજી શકાય છે.
પાપભીરુ આત્માઓ ગુરુ-પૂજનીય પુણ્યાત્માઓના ભક્ત હોય છે. તેઓ સારી રીતે સમજે છે કે પાપથી રક્ષણ