________________
જ્ઞાની ભગવંતોની જ દીક્ષામાં છે. અજ્ઞાનીની દીક્ષામાં એવું સામર્થ્ય નથી કે તે શ્રેયઃનું પ્રદાન કરે અને અશિવનું હરણ કરે. તેથી જ અજ્ઞાનીની દીક્ષા સત્પુરુષોને માન્ય નથી. સત્પુરુષોને માન્ય એવી દીક્ષા અધિકારી એવા જ્ઞાની ભગવંતોને જ હોય છે. તે દીક્ષા જ સાધ્વી-નિરવદ્ય છે. સર્વથા દોષથી રહિત છે.].... ૧૨-૨
***
આ રીતે શ્રુતમયાદિ ત્રણ જ્ઞાનથી યુક્ત જ આત્માની દીક્ષા નિરવદ્ય ગણાતી હોય તો તે ત્રણ જ્ઞાનથી રહિત એવા માતુષ વગેરે મુનિભગવંતોની દીક્ષા કલ્યાણકારિણી હતી : એ શાસ્ત્રમાં વર્ણવેલું કઈ રીતે ઉચિત છે : આવી શકાનું સમાધાન કરતાં જણાવાય છે
-
यो निरनुबन्धदोषाच्छ्राद्धोऽनाभोगवान् वृजिनभीरुः । गुरुभक्तो ग्रहरहितः सोऽपि ज्ञान्येव तत्फलतः ॥१२- ३ ॥
·
'
“જે; અનુબંધથી રહિત એવા જ્ઞાનાવરણીયાદિ કર્મ સ્વરૂપ દોષને લઈને શ્રદ્ધાવાન, અજ્ઞાની; પાપભીરુ, ગુરુભક્ત અને આગ્રહરહિત છે, તે પણ ફળને [જ્ઞાનના ફળને] આશ્રયીને જ્ઞાની જ છે.”- આ પ્રમાણે ત્રીજી ગાથાનો અર્થ છે. આશય એ છે કે જ્ઞાનીને દીક્ષાનું જે ફળ પ્રાપ્ત થાય છે, એ ફળ અજ્ઞાનીને પણ દીક્ષાથી પ્રાપ્ત થાય તો તે અજ્ઞાની પણ વસ્તુતઃ જ્ઞાની જ છે. તેથી માષતુષાદિ મુનિભગવંતોની પણ દીક્ષા; ફળને લઈને જ્ઞાનીની જ હતી. આથી સમજી શકાશે કે માષતૃષાદિ મુનિભગવંતોની દીક્ષાને કલ્યાણકારિણી
૩૩૭