________________
દિક્ષાથી થતી હોય છે. કારણ કે મુખ્ય રાજાની જેમ પારમાર્થિક દીક્ષાના કાર્યને, વસંતનૃપની જેમ અધિકારીની દીક્ષા કરતી નથી. પોતાના કાર્યને જે ન કરે તે વસ્તુ; વસ્તુ નથી-એ સમજી શકાય છે. [૧૨-૧
જ્ઞાનીને જ દીક્ષા હોય છે, અજ્ઞાનીને નહિ? આ નિયમ કરવા “રીક્ષા’ શબ્દની વ્યુત્પત્યર્થ જણાવાય છે –
श्रेयोदानादशिवक्षपणाच्च सतां मतेह दीक्षेति । सा ज्ञानिनो नियोगाद् यथोदितस्यैव ,साध्वीति ॥१२-२॥
શ્રેયઃ-સુંદર વસ્તુને આપતી હોવાથી અને અશિવપ્રત્યપાયનો ક્ષય કરતી હોવાથી પુરુષોને દીક્ષા ઈષ્ટ છે. ચોક્કસપણે અધિકારી એવા જ્ઞાની ભગવંતને જ તે નિર્દોષ હોય છે.”- આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. આશય એ છે કે રીક્ષા' શબ્દની વ્યુત્પત્તિનો અર્થ એ છે કે જે શ્રેયઃકલ્યાણને આપનારી છે અને અશિવ-પ્રત્યપાયને દૂર કરનારી છે, તેને દીક્ષા કહેવાય છે. મોક્ષ સિવાય બીજું કોઈ શ્રેયઃકલ્યાણ નથી અને આ સંસારને છોડીને બીજો કોઈ અપાય નથી. જે સંસારના ઉચ્છેદ માટે દીક્ષા ગ્રહણ કરાય છે, એ દીક્ષાથી જ સંસારની વૃદ્ધિ થાય તો તે પ્રત્યપાયને હરનારી નહિ બને. અપાયને દૂર કરવાના બદલે અપાયનું જે કારણ બને તે પ્રત્યપાયકર બને છે. દીક્ષાનું સ્વરૂપ પ્રત્યપાયઅશિવનો ઉચ્છેદ કરનારું છે અને શ્રેયઃ-કલ્યાણને પ્રાપ્ત કરાવનારું છે. આવું સ્વરૂપ ચોક્કસપણે અધિકારી એવા