________________
अस्मिन् सति दीक्षाया अधिकारी तत्त्वतो भवति सत्त्वः । इतरस्य - पुनर्दीक्षा वसन्तनृपसन्निभा ज्ञेया ॥१२- १॥
“શ્રુતમય, ચિંતામય અને ભાવનામય-આ જ્ઞાનત્રય હોતે છતે આત્મા દીક્ષા પ્રાપ્ત કરવા અધિકારી બને છે. બીજાને- જ્ઞાનત્રયથી રહિત આત્માને- પ્રાપ્ત થતી દીક્ષા વસંતઋતુના રાજા જેવી જાણવી.’- આ પ્રમાણે પહેલી ગાથાનો અર્થ છે. આશય એ છે કે અગિયારમા ષોડશકમાં જેનું વર્ણન કર્યું છે એ શ્રુતમયાદિ ત્રણ જ્ઞાનની જેમને પ્રાપ્તિ થઈ છે તેમને સર્વસાવદ્યયોગથી વિરામ પામવા, સ્વરૂપ દીક્ષાનો અધિકાર છે. કારણ કે શાસ્ત્રમાં જણાવેલી નીતિમર્યાદા મુજબ પરમાર્થથી તેઓને દીક્ષાનું આરાધન શક્ય છે. પારમાર્થિક રીતે મોક્ષફળને આપનારી દીક્ષા; શ્રુતમયાદિ જ્ઞાનત્રય વિના પ્રાપ્ત થતી નથી.
ત્રણ જ્ઞાનથી જેઓ રહિત છે; તેઓ પારમાર્થિક દીક્ષાના અધિકારી નથી. આવા અનધિકારીની દીક્ષા વસંતઋતુના રાજા જેવી છે. ચૈત્ર માસમાં વસંતોત્સવ દરમ્યાન રમતમાં બનાવેલા રાજાને જેમ રાજસુખોની પ્રાપ્તિ થતી નથી, પરંતુ અનેક જાતની કંદર્થના જ પ્રાપ્ત થાય છે; તેમ અનધિકારીને પણ દીક્ષાથી કોઈ લાભ થતો નથી, ઉપરથી વિટંબના પ્રાપ્ત થાય છે. વસંતઋતુના રાજાને છત્રની જગ્યાએ ચાલણી ધરે, ચામરની જગ્યાએ ઝાડું વીંઝે, હારની જગ્યાએ ખાસડાનો હાર પહેરાવે અને ઘોડા ઉપર બેસાડવાના બદલે ગધેડા ઉપર બેસાડે...વગેરે ચેષ્ટાઓથી ચિકાર કદર્શના પ્રાપ્ત થાય છે. આવી જ કદર્થના-વિટંબના અનધિકારીને
૩૩૫