________________
ઉપર જણાવેલા ગુણો જેમાં નથી તેને જ્ઞાનનો વિપર્યયા પ્રાપ્ત થાય છે. ઔચિત્યથી જેઓ રહિત છે; જેમનું ચિત્ત અશાંત છે અને જેઓ કર્મનિર્જરા માટે અસમર્થ છે, તેમને અપૂર્વકરણ પ્રાપ્ત ન થવાથી ગ્રંથિભેદ શક્ય બનતો નથી અને તેથી સમ્યગ્દર્શનના અભાવે તેમને જ્ઞાન પ્રાપ્ત થતું નથી, પરંતુ વિપર્યયસ્વરૂપ જ્ઞાન હોય છે, જે પદમાત્રથી જણાતા અર્થને જ જણાવે છે. વાક્યાર્થ, મહાવાક્યા કે ઔદંપર્યાર્થિને જણાવવાનું સામર્થ્ય વિપર્યયસ્વરૂપ બોધમાં નથી. શ્રુતમય વગેરે જ્ઞાન વાક્યર્થ વગેરેને જણાવે છે.
આ ષોડશકમાં વર્ણવેલું - જ્ઞાનનું સ્વરૂપ મુમુક્ષુ આત્માઓએ સ્પષ્ટપણે સમજી લેવું જોઈએ. ભાવનાજ્ઞાનના સ્વરૂપનું વર્ણ કરતી વખતે ષોડશપ્રકરણ”ની કલ્યાણકંદલીટીકાકારે અને “બત્રી"ના અનુવાદ કરનારાએ જે જણાવ્યું છે, તે વિવેકપૂર્વક વિચારવું જોઈએ. પંદરમી અને સોળમી ગાથામાં જણાવેલા જ્ઞાનની પ્રાપ્તિના ઉપાયોને નિરંતર યાદ રાખી તેની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક શુભાભિલાષા. ૧૧-૧૫/૧
| ત્તિ વિશે થોડશવમ્
अथ द्वादशं षोडशकं प्रारभ्यते ॥ અગિયારમા ષોડશકમાં ત્રણ જ્ઞાનનું નિરૂપણ કર્યું. હવે એ જ્ઞાનથી સહિત અને રહિત એવા આત્માઓ; અનુક્રમે દીક્ષાના અધિકારી અને અનધિકારી છે, તે જણાવાય છે