________________
આશય એ છે કે આત્માનો ગુણ જ્ઞાન હોવાથી જ્ઞાનરહિત આત્મા ન જ હોય-એ સમજી શકાય છે. પરંતુ અહીં શ્રુતમયાદિજ્ઞાનની વિવક્ષા હોવાથી તેના સ્વામીનો વિચાર કરાયો છે. જ્ઞાન અને વિપર્યય : આ બંને અહીં જ્ઞાનસામાન્યના જ પ્રકાર છે. કયું જ્ઞાન જ્ઞાન છે અને કર્યું જ્ઞાન વિપર્યય છે. એ એના સ્વામીને જણાવવા પૂર્વક જણાવ્યું છે. સમ્યગ્દર્શનના સંબંધના કારણે જ્ઞાન, જ્ઞાન છે. અન્યથા સમ્યગ્દર્શનના અભાવમાં જ્ઞાન, વિપર્યયસ્વરૂપ હોય છે. શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલા તત્ત્વભૂત અર્થની શ્રદ્ધાના પરિણામને સમ્યગ્દર્શન કહેવાય છે. સંસારના સુખાદિ પ્રત્યેનો અને દુઃખાદિ પ્રત્યેનો રાગ અને દ્વેષનો જે તીવ્ર પરિણામ છે તેને ગ્રંથિ કહેવાય છે. એ ગ્રંથિના ભેદથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. રાગ-દ્વેષની તીવ્રપરિણતિ સ્વરૂપ ગ્રંથિને ભેદવા માટે અપૂર્વકરણ સ્વરૂપ અધ્યવસાયવિશેષ” ઉપયોગી છે. ગ્રંથિને ભેદનાર અધ્યવસાયવિશેષને અપૂર્વકરણ કહેવાય છે.
રાગ-દ્વેષના તીવ્ર પરિણામ સ્વરૂપ ગ્રંથિનો ભેદ, આત્માના અર્ધ્વપુલપરાવર્તકાળથી અધિક સંસારનો ઉચ્છેદ કરનારો છે. ગ્રંથિ-સ્વરૂપ સંલિષ્ટ પરિણામને ઓળખાવનારો અધ્યવસાયવિશેષ “શુદ્ધયથાપ્રવૃત્તિકરણ છે. ગ્રંથિદેશને પ્રાપ્ત કરાવનારી આત્મપરિણતિ “યથાપ્રવૃત્તિકરણ' છે. અનંતી વાર પણ યથાપ્રવૃત્તિકરણને પ્રાપ્ત કરનાર આત્માને શુદ્ધયથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થાય જ એવો નિયમ નથી. ભવિષ્યમાં જેમને સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાનું છે; એવા આત્માઓ જ શુદ્ધયથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત કરી શકે છે. એ કરણના સામર્થ્યથી ગ્રંથિને ઓળખીને તેને ભેદવા માટેનો પ્રયત્ન કરાવનાર