________________
दण्डीखण्डनिवसनं भस्मादिविभूषितं सतां शोच्यम् । पश्यत्यात्मानमूलं ग्रही नरेन्द्रादपि यधिकम् ॥११-१३॥ मोहविकारसमेतः पश्यत्यात्मानमेवमकृतार्थम् । तंद्व्यत्ययलिङ्गरतं कृतार्थमिति तद्ग्रहादेव ॥११-१४॥
“સાંધેલા જીર્ણવસ્ત્ર[દાંડિયું]માંથી બનાવેલ કપડાંને જેણે શરીર પર ધારણ કર્યાં છે અને અલંકાર માટે પોતાના શરીર પર જેણે રાખ વગેરે લગાડી છે; એવો વિદ્વાનોને દયાપાત્ર માણસ જેમ કદાગ્રહયુક્ત બની પોતાની જાતને અત્યંત નિર્મળ અને ચક્રવર્તી કરતાં પણ અધિક જાણે છે; તેમ મોહના વિકારવાળો આત્મા, અકૃતાર્થ અને કૃતાર્થથી વિપરીત એવા અકૃતાર્થનાં લિગો-લક્ષણોમાં રક્ત હોવા છતાં તે ગ્રહ[વિપર્યય]થી જ પોતાની જાતને કૃતાર્થ તરીકે જાણે છે.”- આ પ્રમાણે તેરમી અને ચૌદમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે જેના શરીર પર સાંધા મારીમારીને બનાવેલાં ચીથરાંજેવાં વસ્ત્ર છે તેમ જ જેના સમગ્ર શરીર ઉપર રાખ વગેરે લગાડીને શરીરની શોભા કરાઈ છે; એવો જોતાંની સાથે સારા માણસોની દયાનું પાત્ર બનેલો માણસ આગ્રહી હોવાથી પોતાના આત્માને અત્યંત નિર્મળ અને ચક્રવર્તી કરતાં પણ અત્યધિક જાણે તો એ જેમ વિપર્યય છે તેમ અહીં મનના વિભ્રમ સ્વરૂપ દોષથી સહિત પો અકૃતાર્થ હોવા છતાં તે વિપર્યયાત્મક બોધવાળો પોતાની જાતને કૃતાર્થ માને છે- એ વિપર્યય છે. મોહના વિકાર[દુશ્ચેષ્ટા]થી સહિત માણસ અકૃતાર્થ છે, તેનું [તેની અકૃતાર્થતાનું કારણ જણાવવા માટે ચૌદમી ગાથાના ઉત્તરાર્ધમાં
૩૨૯
-