________________
હોવાથી; આગમાર્થના બોધક વાક્યશ્રવણથી પણ શ્રવણ કરનારને વિપરીત જ બોધ થાય છે. આ વાતને સમજાવવા માટે ગાથાના ઉત્તરાર્ધમાં દીપકસંબંધી બોધનું દૃષ્ટાંત જણાવ્યું છે. આંખના દોષવિશેષ સ્વરૂપ તૈમિરિકથી તે દોષવાળાને દીપકમાં ગોળાકાર દૃશ્ય દેખાય છે. પરંતુ તે જેમ વાસ્તવિક નથી પણ વિપર્યય- સ્વરૂપ છે; તેવી જ રીતે ગુરુવિનયાદિના અભાવમાં આગમવાક્યથી જે બોધ થાય છે, તે પણ વિપર્યયસ્વરૂપ છે. કારણ કે એ બોધ ગુરુના વિનયના અભાવમાં મિથ્યાત્વદોષથી થયેલો છે.
જોકે આ બોધ; થાય છે તો આગમના જ વાક્યથી પરંતુ પોતાની આગ્રહ[કદાગ્રહ]પૂર્ણ માન્યતાથી થતો એ બોધ મિથ્યાપ્રત્યય-સ્વરૂપ પદાર્થમાત્રને જ જણાવે છે. વાક્યાદિને જણાવવાનું એમાં સામર્થ્ય નથી. આવો બોધ પરિણામે પાપનું કારણ બને છે. જે આશયથી શાસ્ત્રે વાત જણાવી હોય તે આશયથી વિપરીત રીતે તે વાતનો બોધ કરવા સ્વરૂપ આ બોધ પદાર્થમાત્રવિષયક હોય છે. વિષયના અભિલાષીએ પણ ધર્મમાં જ પ્રયત્ન કરવો જોઈએ' આ વિધાન પાછળ ધર્મની અત્યંત ઉપાદેયતા જણાવવાનો આશય હોવા છતાં એનો વિચાર કર્યા વિના વિષયની પ્રાપ્તિ વિષયની ઈચ્છાને પૂર્ણ કરવા માટે ધર્મ જ કરવો જોઈએ.' - આવા પ્રકારનો જે બોધ કરાય છે તે પદાર્થમાત્રનો બોધ છે. ||૧૧-૧૨
***
વિપર્યયના જ નિરૂપણમાં દૃષ્ટાંત જણાવવા પૂર્વક તેનો વિપર્યયમાં ઉપનય કરાય છે
૩૨૮