________________
કર્યા વિના એ પ્રવૃત્તિનું ખંડન કરી સત્યની રક્ષા અને પ્રભાવના કરવાનો નિષેધ કરીને ખોટું દુઃસાહસ કરવું નહિ જોઈએ. ૧૧-૧૧
આ પૂર્વે છઠ્ઠી ગાથામાં મોહથી વિપર્યય થાય છે-એ પ્રમાણે જણાવ્યું છે. શ્રુતમયાદિ ત્રણ જ્ઞાનના તે વિપર્યયને જણાવાય છે –
गुर्वादिविनयरहितस्य यस्तु मिथ्यात्वदोषतो वचनात् । दीप इव मण्डलगतो बोधः स विपर्यायः पापः ॥११-१२॥
“ગુર્નાદિકના વિનયથી રહિત એવાને મિથ્યાત્વદોષના કારણે આગમ-વચનથી જે બોધ થાય છે; તે આંખના દોષના કારણે દીપકમાં ગોલાકાર જણાતા પ્રકાશની જેમ પાપસ્વરૂપ વિપધ્યેય છે.”- આ પ્રમાણે બારમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ આગમના વાક્યથી મૃતમયજ્ઞાન, ચિંતામયજ્ઞાન અને ભાવનામયજ્ઞાન પ્રાપ્ત થાય છે. તેનાથી વિપરીત રીતે મોહના કારણે જીવને પાપસ્વરૂપ વિપર્યયાત્મક બોધ પ્રાપ્ત થાય છે,
આગમવાક્યથી જ મોહના કારણે થનારા વિપર્યયનાં બીજાં કારણોનું વર્ણન કરતી વખતે ગ્રંથકારશ્રીએ ફરમાવ્યું છે કે આગમવચનનું શ્રવણ કરનાર પૂ. ઉપાધ્યાયભગવંત અને પૂ. આચાર્યભગવંતાદિ ગુરુદેવશ્રીના વિનયથી રહિત હોય તો તેને શ્ર તમયાદિજ્ઞાનના બદલે વિપર્યયાત્મક વિપરીતસ્વરૂપવાળોબોધ થાય છે. ગુર્નાદિકનો વિનય નહિ કરનારાને તત્ત્વાર્થની અશ્રદ્ધા સ્વરૂપ મિથ્યાત્વનો ઉદય