SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાં વિતથપણે તેઓએ નિરૂપણ કર્યું છે તેનું નિરાકરણ આપણે ત્યાં કરાયું જ છે અને ભવિષ્યમાં પણ કરાતું જ રહેવાનું છે. શ્રી મહાવીરપરમાત્માએ અવસરે ` અવસરે જમાલી, ગોશાલક અને પાખંડીઓના મતનું નિરસન ખૂબ જ સ્પષ્ટ રીતે કર્યું છે. સ્વપરતંત્રમાં ન્યાયસંગત જે અર્થ છે; તેને ભાવનામયજ્ઞાની સ્વીકારે છે. આ પ્રમાણે જણાવેલું હોવા છતાં ઉપર જણાવેલા પુસ્તકમાં ખૂબ જ વિચિત્ર રીતે પોતાની વાત જણાવી છે. એ જણાવતી વખતે મહામહોપાધ્યાયજી મહારાજાએ કરેલા અન્ય-દર્શનોના નિરસન અને સ્વસમયમાં થયેલા ધર્મસાગરજી મ. આદિ તેમ જ નિહ્નવો વગેરેની માન્યતાઓનાં નિરસનોનું પરિશીલન કરવાની જરૂર હતી. સમગ્ર જીવન સમુદાયના ખંડનમાં વિતાવનારા આજે તેથી આટલા કેમ ગભરાય છે તે સમજાતું નથી. શ્રી તીર્થંકર પરમાત્માના પરમતારક વચનને સંવંશે માનવાના હોત તો એક પણ દર્શન ઉત્પન્ન થાત નહિ અને સ્વસમયમાં જુદા ચોકા થાત નહિ.. આટલું પણ જેઓ સમજી શકતા ન હોય તેમણે શ્રી ષોડશકપ્રકરણજેવા ગ્રંથોના અનુવાદથી દૂર રહેવું જોઈએ. શ્રી તીર્થંકરપરમાત્માના પરમતારક વચનથી વિપરીત જેટલો પણ અંશ જ્યાં પણ સ્વસમયમાં કે પરસમયમાં હોય ત્યાં તેનું નિરાકરણ કર્યા વિના ચાલે એવું નથી. શ્રી તીર્થંકર પરમાત્માના વચનનું અહીં નિરાકરણ નથી. પરંતુ તેમાં ભેળવેલા વિપરીત અંશનું નિરાકરણ છે-એ યાદ રાખવું જોઈએ. કોઈ પૂર્વગ્રહાદિને આધીન થઈને સત્ય હણી નાંખે તો એનું પાપ એને લાગશે જ. આવા વખતે સત્યની રક્ષા માટેનાં દ્વાર નિરંતર ખુલ્લાં જ છે. કોઈ પણ જાતની ચિંતા ઉર
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy