________________
પ્રદેશમાં રહેલી બધી જ જાતનો ચારો તે બળદને ચરાવ્યો. આ રીતે ચારો ચરતાં તે બળદ સંજીવનીનો ઉપયોગ કર્યો કે તુરત જ તે પુરુષ થયો. આવું ઉદાહરણ લોકમાં પ્રસિદ્ધ છે. ત્યાં જેમ સ્ત્રીની તે પુરુષ-બળદને આશ્રયીને હિતકારિણી પ્રવૃત્તિ થઈ, એવી રીતે ભાવનાજ્ઞાનથી સહિત આત્માની દરેક ભવ્યાત્માઓ ઉપર અનુગ્રહ કરવાની પ્રવૃત્તિ હિતકારિણી જ થાય છે.
આ દૃષ્ટાંત વર્ણવતી વખતે પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ જે જણાવ્યું છે તેમાં થોડો ફરક છે. આવી જ રીતે યોગબિંદુ વગેરેમાં જણાવ્યા મુજબ થોડો ફરક છે. પરંતુ સર્વત્ર ભાવાર્થ એક જ છે. અહીં ગાથામાં વર્ણવેલી સમરસાપત્તિનું વર્ણન કરતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ફરમાવ્યું છે કે સર્વ જીવો ઉપર અનુગ્રહ કરવાની પરિણતિ સમરસાપત્તિ છે. એ સમરસાપત્તિનું કારણ સ્વસમય[દર્શનનું જ્ઞાન છે. સર્વદર્શનોના સમૂહ સ્વરૂપ સ્વસમય છે. કારણ કે સર્વ પ્રવાદોનું મૂળ દૃષ્ટિવાદસ્વસમય છે. એ અપેક્ષાએ અહીં સર્વદર્શનોના સમૂહ સ્વરૂપે સ્વસમયનું વર્ણન કર્યું છે. ષોડશક પ્રકરણ ભા. ૨ પ્રિકાશક : શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ અંધેરી-વેસ્ટ મુંબઈ-૫]આ પુસ્તકમાં ભાવનાજ્ઞાનનું વર્ણન કરતી વખતે આ ગાથાના ગુજરાતી વર્ણનમાં જે જણાવ્યું છે તે વિચારણીય છે. *
અહીં સમજી લેવું જોઈએ કે જૈનદર્શનમાંથી સ્વિસમયમાંથી] ઉદ્ભવેલાં તે તે દર્શનોમાં સર્વાશે સ્વસમયની વાત જ નથી. અહીંથી લીધેલી વાત યથાસ્થિતરૂપે તે તે દર્શનકારોએ તે તે સ્થાને જણાવેલી નથી. જેટલા પણ અંશે