SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ આ ખોટો' આ પ્રમાણે વિભાગ કરે છે. ૧૧-૧૦ના ***** ભાવનાજ્ઞાનમાં સર્વ જીવોને વિશે સદાને માટે હિતકર પ્રવૃત્તિ થાય છે. ભાવનાજ્ઞાનથી ભાવિત હોવાથી તે આત્માને સર્વ જીવો ઉપર અનુગ્રહ કરવાની પરિણતિ હોય છે અને સાથે ગાંભીર્ય[કામ કર્યા પછી કોઈની આગળ ન બોલવા સ્વરૂપ] સ્વરૂપ આશયવિશેષ હોય છે. તેને લઈને; ચારાને ચરનાર અને સંજીવનીને નહિ ચરનાર એવા બળદને ચારો ચરાવવાની પ્રવૃત્તિ જેમ હિતકર બની તે રીતે ભાવનામયજ્ઞાનીની પ્રવૃત્તિ સર્વદા બધા જીવોને હિત કરનારી બને છે. ચારિચરકવૃત્તાંતનું વર્ણન કરતાં એ પ્રમાણે જણાવ્યું છે કે-કોઈ એક સ્ત્રીએ કોઈ એક પુરુષને પોતાને વશ કરવા માટે પરિત્રાજિકાને જણાવ્યું કે આ પુરુષ મને વશ થાય તેમ તેને બળદ કર' તે સાંભળીને પરિવ્રાજિકાએ કોઈ સામર્થ્યવિશેષથી તેને બળદ કર્યો. તે સ્ત્રી તે બળદને ચરાવતી અને પાણી પિવરાવતી રહે છે. એક વાર વડના વૃક્ષ નીચે તે બળદ બેઠો હતો. ત્યારે ત્યાં આકાશમાર્ગે બે વિદ્યાધરીઓ આવી. તેમાંની એક વિદ્યાધરીએ કહ્યું કે આ બળદ સ્વભાવથી નથી પરંતુ પુરુષને બળદ બનાવ્યો છે. ત્યારે બીજી વિદ્યાધરીએ કહ્યું કે તો પછી આ બળદ સ્વાભાવિક પુરુષ કઈ રીતે થશે ? એ સાંભળીને પહેલી વિદ્યાધરીએ કહ્યું કે; આ વડલાની નીચે સંજીવની છે. તેનો ચારો ચરશે એટલે તે પુરુષ થશે. આ પ્રમાણેનું વિદ્યાધરીનું વચન તે સ્ત્રીએ સાંભળ્યું. તે સ્ત્રીએ, સંજીવની નામની ઔષધિવિશેષને જાણતી ન હોવાથી તે ૩૨૪૬
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy