SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યે કારણ બને છે. “એક જ વાક્યનો, અવાંતર વ્યાપાર દ્વારા તે તે કાર્યને અનુકૂળ એવો વ્યાપાર આવા લાંબા સમય સુધી ઘટી શકતો નથી. અને એક કાર્ય કરીને વિરામ પામેલ [નષ્ટ થયેલ] બીજા કાર્યની પ્રત્યે કારણ નહિ બને.” આવી શંકા નિરર્થક છે. કારણ કે જે અર્થનો બોધ કરાવવાના આશયથી શબ્દ પ્રયુક્ત હોય તેને જણાવવામાં તે શબ્દ તત્પર હોય છે. તે અર્થ જ શબ્દાર્થ છે. લક્ષ્ય વીંધવામાં લક્ષ્યની દૂરવર્તિતા કે સમીપવńિતાદિને અનુલક્ષી એક જ બાણનો અવાંતર વ્યાપાર હોય છે. એ પ્રમાણે તર્કશાસ્ત્રના જ્ઞાતાઓ પણ બાણના દીર્ઘ, દીર્ઘતર વ્યાપારને વર્ણવતા હોય છે. આ બધું ઉપદેશરહસ્યાદિમાં વિસ્તારથી જણાવ્યું છે. જિજ્ઞાસુઓએ તેનું અવલોકન કરી લેવું જોઈએ. ।।૧૧-૯ *** હવે શ્રુતમયજ્ઞાન, ચિંતામયજ્ઞાન અને ભાવનામયજ્ઞાન આ ત્રણના વિષયનો વિભાગ કરવા માટે ફળ જણાવવાની ઈચ્છાથી બે ગાથા દ્વારા પ્રયત્ન કરાય છે आद्य इह मनाक्पुंसस्तद्रागाद् दर्शनग्रहो भवति । न भवत्यसौ द्वितीये चिन्तायोगात् कदाचिदपि ॥११-१०॥ चारिचरक सञ्जीवन्यचरकचारणविधानतश्चरमे । सर्वत्र हिता वृत्तिर्गाम्भीर्यात् समरसापत्त्या ॥११- ११॥ આ પ્રવચનમાં શ્રુતમયજ્ઞાન હોતે છતે શ્રુતમયજ્ઞાનના અનુરાગથી આત્માને પોતાના દર્શન પ્રત્યે થોડો આગ્રહ થાય છે. ચિંતાના યોગે બીજા ચિંતામય જ્ઞાન વખતે ક્યારે પણ ૩૨૨
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy