SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ આધારે નિરૂપણ કરવાનું હોવાથી નિરૂપણ થોડું અઘરું થયું છે. માટે જિજ્ઞાસુઓએ એ સમજવા માટે પૂરતો પ્રયત્ન કરી લેવો જોઈએ. ૧૧-૮॥ *** ભાવનાજ્ઞાનનું સ્વરૂપ જણાવાય છે ऐदम्पर्यगतं यद् विध्यादौ यत्नवत् तथैवोच्चैः । एतत् तु भावनामयमशुद्धसद्रत्नदीप्तिसमम् ॥११- ९॥ “જે જ્ઞાન તાત્પર્યવિષયવાળું છે અને સારી રીતે વિધિ વગેરેમાં પ્રયત્નથી યુક્ત છે એ જ્ઞાન, અશુદ્ધ એવા સદ્નની સ્વાભાવિક પ્રભા જેવું ભાવના જ્ઞાન છે.”-આ પ્રમાણે નવી ગાથાનો અર્થ છે. આશય એ છે કે બધા જ્ઞેય એવા ક્રિયાવિષયમાં સર્વજ્ઞ ભગવંતોની આજ્ઞા જ મુખ્ય કારણ છે. દરેક પ્રવૃત્તિ કે નિવૃત્તિનું કોઈ પણ મુખ્ય કારણ હોય તો તે શ્રી સર્વજ્ઞભગવંતોની પરમતારક આશા જ છે. ભાવનામયજ્ઞાનમાં બધા જ્ઞેયના વિષયમાં [બધા જ્ઞેય વિશે આ તાત્પર્ય સારી રીતે જણાય છે. અહીં ઉજ્જૈઃ આ પ તાત્પર્ય-ઐદસ્પર્યની અપેક્ષાએ છે અને તથૈવ પદ ઐદમ્પર્યની સાથે જ્ઞાનમાં યત્નનો સમુચ્ચય કરવા માટે છે. ભાવનામય આ જ્ઞાન જેમ ઐદસ્પર્યવાળું છે તેમ વિધિ વગેરેમાં પ્રયત્નવાળું પણ છે. કોઈ પણ કાર્ય [વિહિતકાર્ય કરતી વખતે તેના વિધિના પાલન માટે પૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. તેમ તે માટે વિહિત દ્રવ્ય; તેને આપનાર અને તેનું પાત્ર વગેરે વિષયમાં પણ પૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. અર્થાત્ તે તે વિષયમાં પૂર્ણ આદરવાળા બનવું જોઈએ. ભાવનામય ૩ર૦
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy