________________
આધારે નિરૂપણ કરવાનું હોવાથી નિરૂપણ થોડું અઘરું થયું છે. માટે જિજ્ઞાસુઓએ એ સમજવા માટે પૂરતો પ્રયત્ન કરી લેવો જોઈએ. ૧૧-૮॥
***
ભાવનાજ્ઞાનનું સ્વરૂપ જણાવાય છે
ऐदम्पर्यगतं यद् विध्यादौ यत्नवत् तथैवोच्चैः । एतत् तु भावनामयमशुद्धसद्रत्नदीप्तिसमम् ॥११- ९॥ “જે જ્ઞાન તાત્પર્યવિષયવાળું છે અને સારી રીતે વિધિ વગેરેમાં પ્રયત્નથી યુક્ત છે એ જ્ઞાન, અશુદ્ધ એવા સદ્નની સ્વાભાવિક પ્રભા જેવું ભાવના જ્ઞાન છે.”-આ પ્રમાણે નવી ગાથાનો અર્થ છે. આશય એ છે કે બધા જ્ઞેય એવા ક્રિયાવિષયમાં સર્વજ્ઞ ભગવંતોની આજ્ઞા જ મુખ્ય કારણ છે. દરેક પ્રવૃત્તિ કે નિવૃત્તિનું કોઈ પણ મુખ્ય કારણ હોય તો તે શ્રી સર્વજ્ઞભગવંતોની પરમતારક આશા જ છે. ભાવનામયજ્ઞાનમાં બધા જ્ઞેયના વિષયમાં [બધા જ્ઞેય વિશે આ તાત્પર્ય સારી રીતે જણાય છે. અહીં ઉજ્જૈઃ આ પ તાત્પર્ય-ઐદસ્પર્યની અપેક્ષાએ છે અને તથૈવ પદ ઐદમ્પર્યની સાથે જ્ઞાનમાં યત્નનો સમુચ્ચય કરવા માટે છે. ભાવનામય આ જ્ઞાન જેમ ઐદસ્પર્યવાળું છે તેમ વિધિ વગેરેમાં પ્રયત્નવાળું પણ છે. કોઈ પણ કાર્ય [વિહિતકાર્ય કરતી વખતે તેના વિધિના પાલન માટે પૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. તેમ તે માટે વિહિત દ્રવ્ય; તેને આપનાર અને તેનું પાત્ર વગેરે વિષયમાં પણ પૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. અર્થાત્ તે તે વિષયમાં પૂર્ણ આદરવાળા બનવું જોઈએ. ભાવનામય
૩ર૦