________________
ચિંતામયજ્ઞાન સમગ્ર વિષયને આવરી લે છે. જે અર્થને સમજવાનો હોય તેની પ્રમાણથી સફ્ળતતા; તે તે નયોની અપેક્ષાએ સમગ્ર ધર્માત્મકતા અને અવિસંવાદિતા[સંવાદિફલની જનકતા] વગેરે ભૂમિકાથી અહીં ચિંતાજ્ઞાનમાં વિચારણા હોય છે. તે માટે પ્રમાણ અને નય સાપેક્ષ યુક્તિથી વિચારણા કરાય છે. અત્યંત સૂક્ષ્મ બુદ્ધિથી જ તે યુક્તિઓ સમજાય છે અને જ્ઞાનના ફળની સાથે એનો મેળ જામે છે. સત્ત્વ-અસત્ત્વ અને નિત્યત્વ-અનિત્યત્વ વગેરે વિરુદ્ધ ધર્મોનો પણ ભિન્ન ભિન્ન અપેક્ષાએ એક વસ્તુમાં સમાવેશ અનેકાંતવાદથી થાય છે. વસ્તુની વાસ્તવિકતાનો બોધ અનેકાંતવાદની વ્યુત્પત્તિ વિના શક્ય નથી. ચિંતામયજ્ઞાન વસ્તુના સંમગ્ર સ્વરૂપને આવરી લે છે. પાણીમાં પડેલું તેલનું ટીપું જેમ પાણીના પ્રદેશે પ્રદેશે ફેલાય છે તેમ આ જ્ઞાન પણ વસ્તુના દરેક ધર્મમાં વિસ્તરે છે. શ્રુતમયજ્ઞાનથી જાણેલો અર્થ કઈ રીતે સફ્ળત બને : આવી જિજ્ઞાસામાંથી આ ચિંતામયજ્ઞાન પ્રગટ થાય છે. પ્રત્યક્ષ અને પરોક્ષ વગેરે પ્રમાણો; નૈગમાદિ નયો અને સપ્તભંગી વગેરેથી ગર્ભિત યુક્તિઓની વિચારણા સ્વરૂપ ચિંતાથી ઉત્પન્ન થયેલું આ જ્ઞાન હોવાથી તેને ઉપર જણાવ્યા મુજબ ચિંતામયજ્ઞાન કહેવાય છે.
અહીં વર્ણવેલું ચિંતામયજ્ઞાનનું સ્વરૂપ સમજવાનું થોડું અઘરું છે. જિજ્ઞાસુઓએ દેશના બત્રીશી-એક પરિશીલન'માં બારમા શ્લોકના નિરૂપણમાં જણાવેલી વિગત ખ્યાલમાં રાખવી. જેથી અહીં જણાવેલી વિગત સમજવાનું સરળ પડશે. નિરૂપણીય પદાર્થમાં ફરક નથી. પરંતુ નિરૂપણની શૈલીમાં થોડો ફરક છે. અહીં ષોડશકની પકૃતિઓના
૩૧૯