________________
यत्तु महावाक्यार्थजमतिसूक्ष्मसुयुक्तिचिन्तयोपेतम् । उदक इव तैलबिन्दुर्विसर्पि चिन्तामयं तत्स्यात् ॥११-८॥.
“જે, મહાવાક્યાર્થથી ઉત્પન્ન થયેલું અને અત્યંત સૂક્ષ્મ એવી સુયુક્તિઓની વિચારણાથી યુક્ત છે-તે, પાણીમાં ફેલાતા તેલના બિંદુ જેવું વિસ્તારવાળું ચિંતામય જ્ઞાન છે.”-આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. એનું વર્ણન કરતાં ટીકાકારશ્રીએ ફરમાવ્યું છે કે વાક્યર્થના શ્રુતજ્ઞાનથી અલિપ્ત અને બીજા[ઈતર) સર્વ ધર્માત્મક વસ્તુતત્ત્વને જણાવનાર અનેકાંતવાદના વિષયભૂત અર્થને અહીં મહાવાક્યર્થ કહેવાય છે. એનો આશય એ છે કે સામાન્ય રીતે “હિંસા કરવી નહિ'ઈત્યાદિ અર્થને જણાવનારા “હિંસ્યા સર્વભૂતાનિ' ઈત્યાદિ વાક્યર્થનું શ્રુતજ્ઞાન થયા પછી બીજા શાસ્ત્ર વગેરેમાં જણાવેલા તે તે અર્થની સાથે વિરોધ ન આવે તે રીતે અર્થની વિચારણા થાય છે. તે વખતે તે તે અપેક્ષાએ વસ્તુમાત્રમાં સર્વધર્મમયતાનું પણ જ્ઞાન થઈ જાય છે. આ અનેકાંતવાદના જ્ઞાનથી વસ્તુમાત્રમાં સર્વધર્મોનું જ્ઞાન થાય છે. તેથી તે તે અપેક્ષાએ જણાયેલ અર્થ મહાવાક્યર્થ છે. તે મહાવાક્યાર્થથી ઉત્પન્ન થયેલા જ્ઞાનને ચિંતામયજ્ઞાન કહેવાય છે. અનેકાંતવાદની વ્યુત્પત્તિજ્ઞાનવિશેષથી આ ચિંતામયજ્ઞાન થતું હોવાથી તેમાં અત્યંત સૂક્ષ્મ એવી બુદ્ધિથી સમજાય તેવી અને નય તથા પ્રમાણથી ગર્ભિત એવી અવિસંવાદી જે યુક્તિઓ છે, તેની વિચારણા હોય છે. આક્ષિપ્ત [ઉલિખિત] અનાક્ષિપ્ત [અનુલ્લિખિત બધા ધર્મો વસ્તુમાત્રામાં છે.
કહેવાનો આશય એ છે કે શ્રુતમયજ્ઞાન પછી થનારું