________________
તેવા વિધિમાં પ્રયત્નશીલ હોય છે.
વિધિમાં પ્રયત્ન કર્યા પછી પરમશુશ્રૂષાના કારણે પૂ. ગુરુદેવશ્રીના શ્રીમુખે ધર્મનું શ્રવણ કર્યા પછી આગમમાં વિહિત તે તે ક્રિયામાં આદર જન્મે છે. ધર્મશ્રવણ દરમ્યાન આગમમાં જે જે ક્રિયા કરવાયોગ્ય જણાય છે તેમાં તેને આદર થાય છે. સાંભળ્યા પછી કરવાનું મન થાય નહિ તો એવા લોકોને શાસ્રશ્રવણ કરાવવાનો કોઈ અર્થ નથી. શાસ્ત્રશ્રવણ હિતની પ્રવૃત્તિ માટે અને અહિતની નિવૃત્તિ માટે કરવાનું છે. શક્તિના અભાવમાં કોઈ વાર એ પ્રવૃત્તિ-નિવૃત્તિ શક્ય ન બને તોપણ તેની પ્રત્યે આદર તો હોવો જ જોઈએ. પરમશુશ્રૂષાના કારણે આગમમાં જણાવેલી ક્રિયામાં પરમ આદર હોય છે. એ આદરથી પરમશુશ્રૂષાનું અસ્તિત્વ જણાય છે.
આ આદરને કારણે મુમુક્ષુને સૂત્ર અને તેના અર્થનું અત્યંત સ્પષ્ટ એવું જ્ઞાન થાય છે. પૂ. ગુરુદેવશ્રીના શ્રીમુખે શાસ્ત્રશ્રવણ કર્યા પછી અભ્યાસાદિના કારણે પૂર્વે જાણેલા અર્થો અત્યંત સ્પષ્ટપણે પ્રતીત થાય છે. તેથી દરરોજ નવા નવા અર્થને સાંભળવામાં રસ પડે છે. એ માટે સૂત્રોનું પણ અધ્યયન કરવાનું બને છે. કારણ કે સૂત્રના અધ્યયન વિના અર્થનું જ્ઞાન મુખ્યત્વે અપાતું નથી. આથી પરમષાના કારણે અત્યંત સ્પષ્ટ એવું સૂત્ર-અર્થનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અંતે તત્ત્વનું વાસ્તવિક જ્ઞાન[આ આમ જ છે; ઈત્યાદિ આકારવાળું] પ્રાપ્ત થાય છે. એ જ્ઞાનની પ્રાપ્તિ જેનું ફળ છે, એવું અર્થશ્રવણ પરમ શુશ્રૂષાના કારણે પ્રાપ્ત થતું હોય છે. ૧૧-૪
***
૩૧૨