SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ પરમશુશ્રુષાનું વર્ણન કરીને હવે અપરમ [અપર]શુશ્રુષાનું વર્ણન કરે છે – विपरीता त्वितरा स्यात् प्रायोऽनय देहिनां सा तु । या सुप्तनृपकथानकशुश्रूषावत् स्थिता लोके ॥११-५॥ “ પરમ શુશ્રુષાની અપેક્ષાએ વિપરીત એવી ઈતર અપરમ શુશ્રુષા છે. તે તો મોટા ભાગે જીવોને અનર્થનું કારણ બને છે; જે, સૂતેલા રાજાની કથાનક સાંભળવાની ઈચ્છા જેવી લોકમાં પ્રસિદ્ધ છે.” આ પ્રમાણે પાંચમી ગાથાનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પરમ[પરમા] શુશ્રુષા કરતાં તદ્દન વિપરીત અપરમ શુશ્રુષા છે, જે સૂતા રાજાની કથા સાંભળવાની ઈચ્છા જેવી છે. સામાન્ય રીતે રાજાને ઊંઘવાની ઈચ્છા થાય ત્યારે હજામ પગચંપી કરતાં કરતાં કથા સંભળાવે. એમ કરતાં રાજા ઊંઘી જાય એટલે હજામ બારણું બંધ કરીને જતો રહે. રાજાને કથા સાંભળવાની જે ઈચ્છા છે, તેવી જ અહીં લોકમાં અપરમ શુશ્રુષા પ્રસિદ્ધ છે. જેમ રાજાજી થોડી કથા સાંભળે; થોડી ન પણ સાંભળે. જે સાંભળે તે પણ મહાન આદરથી નહિ. આવી જ સ્થિતિ અપરમ શુશ્રુષા વખતે હોય છે. થોડો ધર્મ સાંભળ્યો. થોડો ન સાંભળ્યો. જે સાંભળ્યું તે પણ આદરથી નહિ. પલંગમાં સૂતેલા રાજાજી અનાયાસે ઊંઘી જવા માટે આનુષગ્નિક રીતે[મુખ્ય ઉદ્દેશ વિનાકથામાં કાન માંડે છે. પરંતુ તેમાં તેમને આદર હોતો નથી. આવી જ રીતે અપરમ શુષાવાળા પણ ધર્મશ્રવણ વખતે રમતાં રમતાં થોડું સાંભળે છે. પરંતુ તેમાં તેમને આદર હોતો નથી. એક જાતનો તેમને
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy