________________
છે - તેને સમજી શકનારા ખૂબ જ સારી રીતે શુશ્રૂષા અને શ્રવણનો રાગ : આ બેમાંના ભેદને [ફરકને] સમજી શકશે. ઈચ્છા વાસિત બનાવે છે અને વાસના પ્લાવિત બનાવે છે. આમ તો વાસના દુષ્ટ જ છે, પરંતુ વિષયની પ્રશસ્તતાને લઈને વાસનામાં પ્રશસ્તત્વનો આરોપ કરાય છે. જિજ્ઞાસુઓએ અધ્યાપક પાસેથી બરાબર સમજી લેવું જોઈએ. અન્યથા શુશ્રુષા અને શ્રવણનો રાગ ઃ એ બેનો ભેદ સમજવાનું શક્ય નહિ બને. ||૧૧-૩॥
***
આ પરમશુશ્રૂષાની વિદ્યમાનતામાં જે અવસ્થા પ્રાપ્ત થાય છે તે જણાવાય છે અર્થાત્ પરમશુશ્રૂષાનાં જ લિગો[લક્ષણો] જણાવાય છે -
गुरुभक्तिः परमास्यां विधौ प्रयत्नस्तथाऽऽदृतिः करणे । सद्ग्रन्थाप्तिः श्रवणं तत्त्वाभिनिवेशपरमफलम् ॥११- ४॥
“પરમશુશ્રુષા હોતે છતે શ્રેષ્ઠ ગુરુભક્તિ, વિધિમાં પ્રયત્ન, કરતી વખતે આદર, સદ્ગ્રંથની [સૂત્રની] પ્રાપ્તિ[જ્ઞાન] અને તત્ત્વજ્ઞાનસ્વરૂપ શ્રેષ્ઠ ફળવાળું અર્થનું શ્રવણ પ્રાપ્ત થાય છે.’-આ ચોથી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ પૂ. ગુરુભગવંત પાસે સૂત્રાર્થનું શ્રવણ કરીને જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. જેઓશ્રીની પાસે સૂત્રાર્થનું શ્રવણ કરવાની ઈચ્છા છે; તે પૂજ્ય ગુરુભગવંતને વિશે ભક્તિ પૂજ્યભાવ-ભવનિસ્તારની ઈચ્છા વગેરે] અવશ્યપણે હોવી જોઈએ. એવી ભક્તિ ન હોય તો તેઓશ્રી કોઈ પણ
૩૧૦