________________
ધર્માર્થીને ઘર્મશ્રવણમાં પરમશુશ્રુષાની વિદ્યમાનતામાં થાય છે. ગાથામાં જણાવેલી યુવાન પુરુષની સુખપૂર્ણ અવસ્થા અને નૈસર્ગિક સંગીતનું શ્રવણ : એ બેનો વિચાર કરવાથી તે વખતના દિવ્યસંગીતશ્રવણ-સંબંધી રાગ કેવો હશે તે સમજી શકાય છે. આવા સહજ રાગથી પણ અત્યધિક રાગ પરમશુશ્રુષાની વિદ્યમાનતામાં ઘર્માર્થી જનોને ધર્મશ્રવણમાં હોય છે. એવા યુવાન પુરુષને દિવ્યસંગીતનું શ્રવણ સર્વશ્રેષ્ઠ અમૃતતુલ્ય હોય છે. એથી પણ વિશેષ રાગ; પરમશુશ્રુષાના કારણે ધર્માત્માને ધર્મશ્રવણમાં હોય છે. આ રીતે પરમશુશ્રુષા ધર્મશ્રવણના ફળને આપનારી બને છે. ધર્મશ્રવણમાં રાગ [ઉત્કટરાગ]થાય તો જ ધર્મનું નિરંતર શ્રવણ ઉલ્લાસપૂર્વક થઈ શકે. અન્યથા ધર્મનું શ્રવણ વેઠ ઉતારવા જેવું થાય છે. શુશ્રુષા શ્રવણનું કારણ છે. શુશ્રુષાથી શ્રવણમાં ભલીવાર ન આવે તો શુશ્રુષામાં જ કોઈ તથ્ય નથી : એમ માન્યા વિના ચાલે એવું નથી. યોગની ત્રીજી દૃષ્ટિમાં યોગના સાધકને આવી પરમશુશ્રુષા પ્રાપ્ત થતી હોય છે, જે ચોથી દૃષ્ટિમાં શ્રવણને પ્રાપ્ત કરાવનાર બને છે.
યદ્યપિ અહીં શુક્રૂષાના કારણે ઉત્પન્ન થનારો ઘર્મશ્રવણનો રાગ; ધર્મ સાંભળવાની અભિલાષા સ્વરૂપ છે અને પરમશુશ્રુષા પણ ધર્મ સાંભળવાની ઈચ્છા સ્વરૂપ છે, તેથી ફળ અને હેતુશ્રવણરાગ અને શુશ્રુષા]માં કોઈ જ ભેદ નથી. પરંતુ શુશ્રુષા ઈચ્છા સ્વરૂપ અને રાગ પ્રશસ્તવાસનાસ્વરૂપ હોવાથી ફળ અને હેતુમાં ભેદ છે એ સમજી શકાય છે. ભોગની ઈચ્છા અને ભોગની વાસના : આ બેમાં જે ભેદ