________________
કરનાર કર્મ મિથ્યાત્વમોહનીય વગેરે સ્વરૂપ છે. તે તે કર્મના વિશુદ્ધ સ્વરૂપ અથવા મંદરસનો જે વિપાક-અનુભવ છે; તેને તે તે કર્મનો ક્ષયોપશમ કહેવાય છે. પરમક્ષયોપશમના કારણે પરમ એવી શુશ્રુષા ઉત્પન્ન થાય છે અને તે શુશ્રૂષાથી અનુક્રમે શ્રવણ, ગ્રહણ[જ્ઞાન], ધારણા વગેરેની સિદ્ધિ થાય છે, જે; તત્ત્વપ્રતિપત્તિમાં અંતે પરિણમે છે.
શુશ્રૂષા આમ તો આપણા માટે નવી નથી. અનાદિકાળથી અર્થ અને કામ સંબંધી ઉપાયોને સાંભળવાની ઈચ્છાઓ તો પડેલી જ છે. પરંતુ જ્યારે સંસારનો ઉચ્છેદ કરનારા ધર્મને સાંભળવાની ઈચ્છા થાય ત્યારે શુશ્રૂષાગુણનો આવિર્ભાવ થાય છે. શુશ્રૂષાને આચ્છાદિત કરનારાં કર્મોનો ઉદય અનાદિકાળથી છે. તે કર્મોના ક્ષયોપશમથી વાસ્તવિક કોટિની શુશ્રૂષાનો આવિર્ભાવ થાય છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ માટે શુશ્રુષાજેવું એક પણ સાધન નથી. વર્તમાનમાં એક અપેક્ષાએ પુસ્તકોના માધ્યમે ‘શુશ્રુષા’નો નાશ થતો આવ્યો છે. જ્યાં ચૌદ પૂર્વનું જ્ઞાન; વિના પુસ્તકે પરમતારક ગુરુદેવશ્રીના વરદ મુખે શ્રવણ કરવાથી પ્રાપ્ત થતું હતું, ત્યાં પુસ્તકોથી પણ એવું જ્ઞાન મેળવાતું નથી. પ્રાયઃ કરીને; “પુસ્તકમાં છે ને ! જોઈ લઈશું”-આવી મનોવૃત્તિના કારણે શુશ્રુષા નાશ પામી છે. એથી સૂત્ર બોલવાની મૂળભૂત રીત નષ્ટ થઈ અને અર્થના જ્ઞાનમાં અધ્યાપકનો અનુભવ અપ્રાપ્ય બન્યો. વાંચવા કરતાં પણ શ્રવણથી જે જ્ઞાન થાય છે; તે ખૂબ જ દૃઢ હોય છેએનો આપણને સારો એવો અનુભવ છે. પરંતુ વાંચવાથી જ્ઞાન મળતું હોય તો ગુર્વાદિક પાસે સાંભળવું નથી-એ વિચાર
go