________________
વિના બોંધસિમ્યજ્ઞાન]ની પ્રાપ્તિ થતી નથી. આર્થી સ્પષ્ટ છે કે સિરા વિનાની ભૂમિમાં કૂવો ખોદવાની જે પ્રવૃત્તિ છે તે ભ્રમમૂલક છે અને તેનું શ્રમમાત્ર ફળ છે, તેમ શુશ્રૂષા વિના શિષ્યને આંગમશ્રવણ કરાવવાની જે પ્રવૃત્તિ છે, તે પણ ભ્રમમૂલક અને શ્રમમાત્ર-ફળવાળી છે. પાણીને પ્રાપ્ત કરવુંએ કૂવો ખોદવાનું ફળ છે. અને આગમનું જ્ઞાન પ્રાપ્ત કરવુંએ આગમનું શ્રવણ કરાવવાનું ફળ છે. શુશ્રૂષાના અભાવમાં શિષ્યને ગમે તેટલું આગમશ્રવણ કરાવીએ તોપણ તેને કોઈ પણ રીતે આગમનું જ્ઞાન થઈ શકે એમ નથી. તેથી વ્યર્થ શ્રમ લેવાનો કોઈ જ અર્થ નથી. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ; શુશ્રુષા વિના શક્ય નથી. ૧૧-૧
***
શ્રુતજ્ઞાનના પૂર્વલિઙ્ગ-[કારણ]ભૂત શુશ્રૂષાના પ્રકાર જણાવાય છે
—
शुश्रूषाऽपि द्विविधा परमेतरभेदतो बुधैरुक्ता । परमा क्षयोपशमतः परमाच्छ्रवणादिसिद्धिफला ॥११-२॥ પૂર્વે જણાવેલી શુશ્રુષા પણ પરમ અને અપરમભેદથી બે પ્રકારની; વિદ્વાનોએ જણાવી છે. પરમક્ષયોપશમના કારણે ઉપન્ન થનારી શુશ્રૂષા પરમ છે, જેનાથી શ્રવણ વગેરે ફળની સિદ્ધિ થાય છે.’-આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પરમ અને અપરમ એવી બે પ્રકારની શુશ્રૂષામાં જે પરમ શુશ્રૂષા છે તે, તેને રોકનારા કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે શુશ્રૂષાને આવૃત્ત
૩૦૫