SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ शुश्रूषा चेहायं लिङ्गं खलु वर्णयन्ति विद्वांसः । तदभावोऽपि श्रावणमसिरावनिकूपखननसमम् ॥११-१॥ . “અહીં શ્રુતજ્ઞાનમાં પ્રથમ લિલ્ગ તરીકે તેના જાણકારો શુશ્રુષાને વર્ણવે છે. શુશ્રુષા સાંભળવાની ઈચ્છા ન હોય તોપણ સિદ્ધાંતનું શ્રવણ કરાવવામાં આવે તો તે; જે ભૂમિમાં સિરા [પાણીની સરવાણી] નથી-એવી ભૂમિમાં કૂવો ખોદવા જેવું છે.” આ પ્રમાણે પહેલી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે શ્રુતજ્ઞાનનું કારણ સ્વરૂપ લિગ્ન શુશ્રુષા છે. શુક્રૂષાના કારણે તેના કાર્ય-શ્રુતજ્ઞાન-નું અનુમાન થઈ શકે છે. કારણ કે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું કારણ શુશ્રુષા છે. જિજ્ઞાસા પછી શુશ્રુષા અને શુશ્રુષા પછી શ્રવણ થાય છે, તેથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું મુખ્ય કારણ શુશ્રુષા છે. શિષ્યને આવી શુશ્રુષા છે કે નહિતેને જોઈને પછી જ શુશ્રુષા હોય તો ગુરુએ શિષ્યને શ્રવણ કરાવવું જોઈએ. અન્યથા શિષ્યને શુશ્રુષા ન હોય તોપણ, આગમશ્રવણ કરાવવાનું પોતાનું કર્તવ્ય છે' એમ સમજીને ગુરુ શિષ્યને શ્રવણ કરાવે તો તેમનું તે કૃત્ય અસિરાવનિમાં કૂવો ખોદવા જેવું થશે. જે ભૂમિમાં પાણીની સરવાણી જ નથી; તે ભૂમિમાં કૂવો ખોદવાથી કોઈ પણ ફાયદો નથી, ઉપરથી નુકસાન ઘણું છે. આવી જ રીતે શુશ્રુષાના અભાવમાં આગમનું શ્રવણ કરાવવાથી કોઈ લાભ નથી, પરંતુ નુકસાન ઘણું છે. આવી પ્રવૃત્તિ આગમની અવજ્ઞા કરાવનારી જ બને છે. સિરા વિનાની પૃથ્વીમાં કૂવો ખોદવાથી જેમ પાણીની પ્રાપ્તિ થતી નથી, તેમ શુશ્રષાસ્વરૂપ બોધની-સેર [સરવાણી)
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy