________________
ભલામણ નિરંતર યાદ રાખવી જોઈએ. રત્નત્રયીની આરાધના કરનારાને પણ શ્રુતજ્ઞાનાદિ ત્રણ જ્ઞાન માટે આદર હોય એવું બહુ ઓછું જોવા મળે છે. મોટા ભાગના આરાધકોને શ્રુતજ્ઞાનાદિનો ખ્યાલ જ નથી, તેથી તેની પ્રત્યે આદર રાખવાની વાતનો વિચાર આવવાનું કોઈ કારણ જ નથી. ગમે તેટલી રત્નત્રયીની ઉત્કટ આરાધના કરીએ; પરંતુ શ્રુતજ્ઞાનાદિ ત્રણ જ્ઞાનને પ્રાપ્ત કરીએ નહિ; તો તે આરાધના નિર્વાણપદની પ્રાપ્તિનું કારણ નહીં બને. કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ ભાવનાજ્ઞાન છે. તેની પ્રાપ્તિ શ્રુતજ્ઞાન અને ચિંતાજ્ઞાનથી થાય છે, જેનાં સાધન; ગુરુભક્તિ, ગુરુવિનય અને ગુરુબહુમાન વગેરે છે. ગ્રંથકારશ્રીએ જણાવેલી એ વાતનો વિચાર કરવાથી સમજાશે કે શ્રુતજ્ઞાનાદિનું અર્થીપણું ન હોવાથી ગુરુભક્તિ વગેરે પણ ઉપેક્ષાપાત્ર બન્યાં છે. સામાન્યથી સાધ્યની અનિચ્છા સાધનની ઉપેક્ષા કરાવે છે૧૦-૧al
આ છે રિ રશ શ્રીપોદશમ્ |
છે અથ વાદશં શ્રીજોશવં પ્રાપ્ય છે.
દશમા ષોડશકના અંતે શ્રુતજ્ઞાનાદિ ત્રણમાં આદર કરવાનું ફરમાવીને ચિંતાજ્ઞાન તેમ જ ભાવનાજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે તેના કારણ સ્વરૂપે શ્રુતજ્ઞાનને જણાવ્યું. એ શ્રુતજ્ઞાનની પૂર્વે થનારું લિગ્ન કર્યું છે-આવી જિજ્ઞાસામાં તેનું પૂર્વલિન્ગ-કારણ જણાવાય છે –