SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ખૂબ જ દૃઢ બનતો જાય છે. મુનિજીવનમાં જ્યાં આવી દશા હોય, ત્યાં ગૃહસ્થજીવનમાં કહેવાજેવું કાંઈ જ રહેતું નથી. સિદ્ધાંતની રક્ષા માટે ભયંકર આપત્તિના કાળમાં પૂર્વાચાર્યોએ સિદ્ધાંતને પુસ્તકારૂઢ કર્યા. આપણે સૌ શુશ્રૂષા વગરના બનીએ : એ માટેનો એ પ્રયત્ન ન હતો. સિદ્ધાંતરક્ષાના સાધનને ખરેખર જ સિદ્ધાંતના જ્ઞાનનું સાધન બનાવવાની જરૂર ન હતી. પુસ્તક હોય એનો કોઈ વાંધો નથી. પરંતુ શુશ્રુષા વિના તેના વાંચનથી જ જ્ઞાન મેળવી લેવાનું બરાબર નથી. પૂર્વાચાર્યોના પ્રયત્નની પાછળના આશયને સમજીને જ્યાં સુધી શ્રવણ દ્વારા જ્ઞાન મળતું હોય ત્યાં સુધી તે રીતે જ જ્ઞાન મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. પરંતુ વર્તમાન જીવોની મનોદશા જોતાં એ આગ્રહ રાખવાનું સહેલું નથી. કારણ કે શુશ્રુષા કેળવવાથી ગુરુપારતંત્ર્ય સેવવું પડે છે. સૌથી અઘરું જ એ છે. લોકોત્તરમાર્ગમાં જ નહિ, લૌકિકમાર્ગમાં પણ જ્ઞાનની પ્રાપ્તિ ગુરુદેવશ્રીને આધીન બતાવી છે. આમ છતાં આજે જ્ઞાનના અર્થીઓને પણ ગુરુદેવશ્રી પાસે શ્રવણ કરવા દ્વારા જ્ઞાન મેળવવાનું ફાવે એવું નથી. ગુરુકૃપાનું કેવું સુંદર ફળ પ્રાપ્ત થાય છે-એ આપણી જાણબહાર નથી. ગુરુદેવશ્રીએ ભણાવવાની ના પાડવા છતાં તેઓશ્રીની પુણ્યમૂર્તિની સ્થાપનાની સાક્ષીએ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરનારા એકલવ્યને ગુરુદેવશ્રીનું જેટલું મહત્ત્વ સમજાયું હતું એટલું મહત્ત્વ આપણે સમજી શકીશું ત્યારે શુશ્રુષા કેળવી શકીશું. પોતાના ગુરુદેવશ્રી અધ્યયન કરાવવા સમર્થ હોવા છતાં સાધુ-સાધ્વી, ગૃહસ્થ પંડિતો પાસે શા માટે અધ્યયન કરે છે ૩૦૭
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy