________________
ભણાવતા ત્યારે સૂત્રમાંડલી સારી રીતે જોવા મળતી. ગમે તે કા૨ણે આજે સૂત્ર ભણવાનું જ ઓછું થયું છે અને થતું જાય છે. તેથી સૂત્રમાંડલી લગભગ અદૃશ્ય બની છે. અર્થમાંડલી કોઈ કોઈ સ્થાને ચાલતી હોય છે. જોકે એમાં યોગ્યાયોગ્યનો વિવેક કરાતો નથી. એનું કારણ એ છે કે આજે નહિ તો કાલે શ્રોતાને સંવેગ પ્રાપ્ત થશે એવી આશા રહી છે.
-
સૂત્ર અને અર્થ માંડલીમાં અર્થમાંડલીનું ઘણું મહત્ત્વ છે. શાસ્ત્રીય રીતે; સૂત્રનું અધ્યયન જેમણે કર્યું નથી તેમને અર્થનું અધ્યયન કરાવાતું નથી. સૂત્રનું અધ્યયન જેમણે કર્યું છે તેમને જ્યારે અર્થમાંડલીમાં અર્થનું શ્રવણ કરાવાય છે ત્યારે તેમને ઉપર જણાવ્યા મુજબ જો સંવેગ પ્રાપ્ત થતો ન હોય તો તેવા અયોગ્ય જીવોને અર્થશ્રવણ માટે માંડલીમાં બેસવા દેવાનું શાસ્ત્રસમ્મત નથી, તો પછી અર્થના પ્રદાન અંગે શાસ્રસમ્મતિ ક્યાંથી હોય ?
આમ હોવા છતાં આવા અયોગ્યને અર્થમાંડલીમાં બેસવા દેનાર અને તેને સૂત્રના અર્થને આપનાર ગુરુને એ અયોગ્ય શ્રોતાની અપેક્ષાએ દોષ અધિક છે. કારણ કે જાણીજોઈને ગુરુએ સિદ્ધાંતની અવજ્ઞા કરાયી છે. અવજ્ઞા કરનાર તો અજ્ઞાનાદિપરવશ હોવાથી અવજ્ઞા કરે પરંતુ ગુરુ તો જ્ઞાની હોવા છતાં જાણી-જોઈને સિદ્ધાંતની અવજ્ઞા કરાવે છે તેથી તેમને અધિક દોષ લાગે છે. જેમના શિરે સિદ્ધાંતની રક્ષા વગેરે કરવાની જવાબદારી છે; તેઓ આ રીતે સિદ્ધાંતની અવજ્ઞા કરાવેએ મહાદોષનું કારણ છે-એ સમજી શકાય છે. ૧૦-૧૫ ॥
***
૩૦૧