________________
વખતે પણ જ્યાં આવી દશા હોય ત્યાં બીજા અવસરે તો કોઈ પણ જાતની ચિકિત્સા શક્ય નથી: કારણ કે તેના રાગાદિ દોષોને કોઈ પણ જાતનો ઉપક્રમ લાગે એવો નથી. જે દોષો પ્રયત્નવિશેષથી દૂર કરી શકાય એવા છે તે દોષોને સોપક્રમ દોષ કહેવાય છે; અને જે દોષોને પ્રયત્ને પણ દૂર કરી શકાય એવા નથી તેને નિરુપક્રમ દોષો [ઉપક્રમ વિનાના દોષો] કહેવાય છે. વિષયતૃષ્ણાના અતિરેકવાળા જીવોના રાગાદિ દોષો નિરુપક્રમ હોવાથી તેઓ ભવરોગની ચિકિત્સા માટે યોગ્ય નથી; અયોગ્ય છે. ૧૦-૧૪
***
ઉપર જણાવ્યા મુજબ રાગાદિના અતિરેકના કારણે કર્મદોષવાળાને શું કરવું જોઈએ-તે જણાવાય છે—
नैवंविधस्य शस्तं मण्डल्युपवेशनप्रदानमपि । कुर्वन्नेतद् गुरुरपि तदधिकदोषोऽवगन्तव्यः ॥१० - १५॥
ગાથાર્થ સુગમ છે. કહેવાનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ આગમનું શ્રવણ કરવા છતાં સંવેગની પ્રાપ્તિ જેમને થતી નથી એવા ભવવ્યાધિની ચિકિત્સા માટે અયોગ્ય જીવોને અર્થમાંડલીમાં બેસવા દેવાનું પ્રશસ્ત નથી. શ્રી તીર્થંકરપરમાત્માએ તે અંગે અનુજ્ઞા આપી નથી. સૂત્રમાંડલી અને અર્થમાંડલી-આ બે માંડલી શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. વર્તમાનમાં સૂત્રમાંડલી લગભગ અપ્રસિદ્ધ છે. વાચનાદિના કારણે અર્થમાંડલી હજી જોવા મળે છે. પૂ. ઉપાધ્યાય ભગવંતો મૌખિક રીતે યથાયોગ્ય તે તે. આત્માને સૂત્ર
300