________________
“વિષયતૃષ્ણાના અતિરેકથી જે પાપી, સિદ્ધાંતનું શ્રવણ કરવા છતાં સંવેગને પ્રાપ્ત કરતો નથી; તે સિદ્ધાંતના શ્રવણ વખતે પણ ચિકિત્સા માટે યોગ્ય નથી.” આ પ્રમાણે ચૌદમી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે-પાંચ ઈદ્રિયોના રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દની અભિલાષાના અતિરેકના કારણે; સિદ્ધાંતને સાંભળનારને પણ સંવેગની પ્રાપ્તિ થતી નથી. શ્રી તીર્થંકરપરમાત્માએ અર્થને આશ્રયીને જેનું નિરૂપણ કર્યું છે તે અર્થને સ્વપક્ષસ્વરૂપે પ્રતિષ્ઠિત જેમાં કરાયો છે; તે ગણધરભગવંતાદિએ રચેલા આગમને સિદ્ધાંત કહેવાય છે. આવા સિદ્ધાંતનું શ્રવણ કરવા છતાં વિષયતૃષ્ણાના અતિરેક સ્વરૂપ સક્લિષ્ટ અધ્યવસાયના કારણે પાપવાન આત્મા મોક્ષની અભિલાષા સ્વરૂપ સંવેગને પામતો નથી. વિષયની ઉત્કટ અભિલાષા, મોક્ષની અભિલાષા ન જ થવા દે-એ. સમજી શકાય છે. આવા જીવો. સિદ્ધાંતના શ્રવણકાળમાં પણ ચિકિત્સાને યોગ્ય નથી. " કહેવાનો ભાવ એ છે કે વિષયતૃષ્ણાની માત્રા અલ્પ હોય તો પૂ. ગુર્નાદિક સામાન્યથી સમજાવીને દૂર કરી શકતા હોય છે, પરંતુ એ માત્રા જ્યારે પ્રમાણાતીત બને છે ત્યારે તેને દૂર કરવા જલદ ઔષધસમાન સિદ્ધાંતનું શ્રવણ છે. ભવના નિસ્તારક પૂ. ગુરુદેવશ્રી જ્યારે એ શ્રવણ કરાવે છે ત્યારે તેનું શ્રવણ કરવા છતાં સક્લેશની તીવ્રતાના કારણે તેને સંવેગની પ્રાપ્તિ થતી નથી. આવા આત્માઓને આવી છેલ્લામાં છેલ્લી દવા પણ અસર કરતી ન હોવાથી તેઓ ભવરોગની ચિકિત્સા માટે યોગ્ય નથી. સિદ્ધાંતના શ્રવણ