________________
લગભગ આજે ચાલે છે. શક્તિ મુજબના વિધિપાલનના બદલે શક્તિ મુજબ વિધિમાં કાપ મૂકવાનું જ ચાલતું હોય છે.
વિધિમાં પ્રયત્નવાળું આ સદ્જ્ઞાન ઉત્તરોત્તર અધિક ગુણસંપન્ન હોવા છતાં ત્રણે ય જ્ઞાનનું સામાન્યથી ફળ ‘વિષયતૃષ્ણાને દૂર કરવી’ તે છે. સ્પર્શનેન્દ્રિયાદિ પાંચ ઈંદ્રિયોના વિષયો આપણા માટે નવા નથી. અનાદિકાળથી વિષયોનો પરિભોગ કરતા આવ્યા હોવા છતાં વિષયતૃષ્ણાનો હજી અંત આવ્યો નથી. વિષયોનો પરિભોગ તૃષ્ણાને મિટાવનારો નથીએનો પરિપૂર્ણ ખ્યાલ સમ્યજ્ઞાનીને છે, તેથી તેઓ વિષયથી દૂર રહી સતત વિષયતૃષ્ણાને દૂર કરે છે. વિષયની તૃષ્ણાને દૂર કરવાનો સ્વભાવ આ શ્રુતમયાદિ ત્રણ જ્ઞાન સ્વરૂપ સાન સિવાય બીજા કોઈનો નથી.. ૧૦-૧૩
***
પૂર્વ ગાથામાં સજ્ઞાનને; વિષયતૃષ્ણાને દૂર કરનારા સ્વરૂપે વર્ણવ્યું છે, પરંતુ કોઈ કોઈ વાર એવા સજ્ઞાનીઓને વિષયતૃષ્ણા ઘણી હોય છે-એમ જોવા મળે છે તો ત્યાં સાન હોવા છતાં વિષયતૃષ્ણાપહાર કેમ થતો નથી - આવી શંકાનું નિરાકરણ કરતાં જણાવાય છે કે-જેને અતિશય વિષયની અભિલાષા હોય છે; તેને વિષયતૃષ્ણાના અભાવ સ્વરૂપ ફળની પ્રાપ્તિ થયેલી ન હોવાથી વસ્તુતઃ તે ત્રણ [શ્રુતાદિ] જ્ઞાનવાળો જ નથી. ત્રણ જ્ઞાન માટે તે અયોગ્ય છે—
श्रुण्वन्नपि सिद्धान्तं विषयपिपासातिरेकतः पापः : प्राप्नोति न संवेगं तदाऽपि यः सोऽचिकित्स्य इति ॥ १०-१४॥
૨૯૮