________________
કોઈ પણ કર્મ અનંતકાળ સુધી આત્મસંબદ્ધ રહેવાનું નથી. પરંતુ કર્મની પરમ્પરાની અપેક્ષાએ કર્મ અનાદિનું છે. કોઈ પણ કાળ એવો ન હતો કે આ આત્મા કોઈ પણ કર્મથી બદ્ધ ન હતો.
અનાદિકાળથી દૂધ અને પાણીની જેમ કર્મથી સમ્બદ્ધ એવો પણ આત્મા કર્મના આત્યન્તિક [ફરીથી બંધાય નહિ] પરિક્ષયસ્વરૂપ કર્મવિયોગથી મુક્ત બને છે. આત્માની એ બદ્ધ અને મુક્ત અવસ્થાના એટલે કે કર્મબંધ અને મોક્ષના; અનુક્રમે હિંસા, મૃષાવાદ, ચૌર્ય, અબ્રહ્મ અને પરિગ્રહ તથા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-આ પ્રાણાતિપાતપશ્ચક અને મહાવ્રતપશ્ચક કારણ છે. હિંસાદિ પાંચ આશ્રવસ્થાનો અને તેનાથી સર્વથા વિરામ પામવા સ્વરૂપ અહિંસાદિ પાંચ મહાવ્રતો અનુક્રમે બંધ અને મોક્ષનાં કારણ છે. અનાદિકાળથી કર્મ-પ્રવાહથી બદ્ધ એવા આત્માને કર્મથી સર્વથા મુક્ત બનવા માટે પાંચ મહાવ્રતોના પાલન સિવાય બીજો કોઈ ઉપાય નથી. આવો વિશુદ્ધ તાત્ત્વિક ઉપાય શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક આગમને છોડીને બીજા કોઈ જ આગમમાં બતાવાયો નથી.
શરીરથી અતિરિક્ત આત્મતત્ત્વને નહિ માનનારા ચાર્વાકોના મતનું; આત્માને પરિણામી નહિ માનનારા સાંખ્યમતનું અને કાલ્પનિક [વાસ્તવિક નહિ] કર્મથી બંધાયેલા આત્માનો કાલ્પનિક મોક્ષ માનનારા વેદાંતીઓના મતનું ; તેમ જ આવા જ પ્રકારના દૃષ્ટ અને ઈષ્ટ પ્રમાણથી વિરુદ્ધ એવા `મતોનું નિરાકરણ કરીને શ્રી તીર્થંકર પરમાત્માના આગમમાં
૨૭