________________
કહેવાય છે. ચિંતાજ્ઞાનના વિષયના હેતુ, સ્વરૂપ અને ફળઆ ત્રણ પ્રકારથી ત્રણ કાળને વિષય બનાવનારું જે જ્ઞાન થાય છે તેને ભાવનાજ્ઞાન કહેવાય છે. ચારિત્રસંપન આત્માઓને મુખ્યપણે આ બે જ્ઞાન હોય છે. તેની પૂર્વે તેઓશ્રીને શ્રુતજ્ઞાન પણ હોય છે પરંતુ તે શ્રુતજ્ઞાન, ચિંતા કે ભાવના જ્ઞાનથી નિરપેક્ષ હોતું નથી. અહીં જે શ્રુતમયજ્ઞાનની વિવેક્ષા છે તે શ્રુતજ્ઞાન અન્ય બે જ્ઞાનથી નિરપેક્ષ હોય છે. આવું શ્રુતજ્ઞાન ચારિત્રવંતને હોતું નથી. ચિંતામય અને ભાવનામય જ્ઞાનને જણાવનારું લિગ્ન ઔચિત્યપૂર્વકની ગુરુભક્તિ છે. “પૂ. ગુરુભગવંત મારા ભવનિસ્તારક છે'.આ અધ્યવસાયથી પૂ. ગુરુભગવંતની સેવા, શુશ્રુષા વગેરે જે પ્રવૃત્તિ થાય છે તે ગુરુભક્તિ છે. ઔચિત્યપૂર્વકની આ ગુરુભક્તિ, ચિંતામય અને ભાવનામય જ્ઞાનનું કાર્યસ્વરૂપ લિંગ છે. ગુરુપરતંત્ર્ય વિના ગુરુભક્તિ શક્ય નથી. જ્ઞાનીને ગુરુપરતંત્ર્ય ન હોય એ કોઈ પણ રીતે બની શકે એમ નથી. સ્વતંત્રતા અજ્ઞાનનું કાર્ય છે. જ્ઞાનીભગવંતો સ્વતંત્ર નથી હોતા. સદાને માટે ગુરુપરતંત્ર હોય છે. ભવનિતારક ગુરુભગવંતમાં ગુણની પૂર્ણતાનું દર્શન કરનારા જ્ઞાનીભગવંતો ગુરુભક્તિ ન કરે તે સંભવિત જ નથી. II૧૦-૧રા,
શ્રુતજ્ઞાનાદિ ત્રણ જ્ઞાનના ફળને દૂત દ્વારા જણાવાય
उदकपयोऽमृतकल्पं पुंसां सज्ज्ञानमेवाख्यातम् । विधियत्नवत्तु गुरुभि विषयतृडपहारि नियमेन ॥१०-१३॥