SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર-પરમાત્માના પરમતારક વચનના જ કારણે કરાતી ક્ષમાને વચનક્ષમા કહેવાય છે. ધર્મમાં તેને કહેવાય છે કે જે ક્ષમા આત્માના સ્વભાવભૂત છે. આશય એ છે કે ચંદનના વૃક્ષને કાપવામાં કે બાળવા વગેરેમાં આવે તો ચંદનવૃક્ષનો જે ધર્મ સુગંધ છે તે જેમ સ્થિર રહે છે અને વિક્રિયાને પામતો નથી, તેમ શરીરને કાપવામાં કે બાળવા વગેરેમાં આવે તો પરોપકાર કરનારી એવી ક્ષમા સ્થિર [આત્મસ્વભાવ બની રહે છે, કોઈ પણ જાતની વિક્રિયાને પામતી નથી. આ ક્ષમાને ધર્મક્ષમા કહેવાય છે. વચનક્ષમાના અભ્યાસના અતિશયથી ઘર્મક્ષમાની પ્રાપ્તિ થાય છે. ઉપકારી ક્ષમા વગેરે ચારેય ક્ષમાનો ઉદ્દેશ આ ક્ષમાની પ્રાપ્તિનો છે. વચનક્ષમા અને ધર્મક્ષમા : આ બે ક્ષમાનો સમાવેશ અનુક્રમે વચનાનુષ્ઠાન અને અસદ્ગાનુષ્ઠાનમાં થાય છે એ સમજી શકાય છે. વચનક્ષમા અને ધર્મક્ષમાનો પૂર્વાપરીભાવ છે. વચનક્ષમા પછી ઘર્મક્ષમા હોય છે, તેથી અનુક્રમે તે બેનો વચનાનુષ્ઠાન અને અસલ્ગાનુષ્ઠાનમાં સમાવેશ થાય છે../૧૦-૧૦ - હવે પાંચ પ્રકારની ક્ષમામાં ધર્મક્ષમાને છોડીને પહેલી ચાર ક્ષમાઓમાં સૂક્ષ્મ અને સ્થૂલ અતિચારોનો સંભવ હોય છે તે જણાવાય છે – चरमायायां सूक्ष्मा अतिचाराः प्रायशोऽतिविरलाश्च । .: ‘મારે તની યુ: છૂાશ તથા નાશ્ચવ ll૧૦-૧૧
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy