________________
પરલોક પ્રત્યે થોડી પણ શ્રદ્ધા હોય તો આ વિપાકક્ષમાના આસેવનથી આત્માને કષાયરહિત બનાવી શકાશે. ભવિષ્યની પ્રત્યે શ્રદ્ધા હોય તો ભવિષ્યનો વિચાર નહિ કરવાનું કોઈ કારણ નથી. ઉપકારક્ષમા, અપકારી ક્ષમા અને વિપાકક્ષમાઆ ત્રણ જાતની ક્ષમાનો સમાવેશ પ્રીત્યનુષ્ઠાન અને ભકત્યનુષ્ઠાનમાં થાય છે. ઉપકારી ક્ષમાદિના કારણે વચનક્ષમાદિની પ્રાપ્તિ થવાથી પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય
“માતુરતં એંજ્ઞા લુન્યા નિસાસ. શ્રી જિનેશ્વરદેવોનાં પરમતારક વચનોને સાંભળીને “આસુરીવૃત્તિકષાયપરિણતિ’ને નહિ રાખવી જોઈએ.” ઈત્યાદિ વચનોને અનુસરી જ્યારે ક્ષમા કરાય છે ત્યારે “વચનક્ષમા' હોય છે. ક્ષમા કરતી વખતે ઉપકાર, અપકાર કે વિપાક વગેરેનો વિચાર ન કરતાં માત્ર “શ્રી જિનેશ્વરદેવોએ ક્ષમા કરવાનું વિધાન કર્યું છે માટે ક્ષમા કરવી જોઈએ”- એમ સમજીને જે ક્ષમા કરાય છે, તેને વચનક્ષમાં કહેવાય છે. આ ક્ષમામાં શ્રી જિનેશ્વરદેવોના પરમતારક આગમવચનનું જ માત્ર આલંબન હોય છે, ઉપકારી વગેરે ત્રણની અપેક્ષા નથી હોતી. ઉપકારી વગેરે ત્રણ-વિષયમાં ક્ષમા હોવા છતાં જ્યારે શ્રી તીર્થકરપરમાત્માના વચનને લઈને જ એ ક્ષમા હોય છે, અને ઉપકારી, અપકારી કે વિપાકને લઈને એ ક્ષમા હોતી નથી ત્યારે તે ક્ષમાને “વચનક્ષમા' કહેવાય છે. આથી સમજી શકાશે કે-ઉપકારી વગેરેમાં ઉપકારી વગેરે સ્વરૂપે સમજીને કરાતી સમાને ઉપકારી ક્ષમા વગેરે કહેવાય છે અને શ્રી