SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમામાંથી પહેલા ત્રણ પ્રકારની ક્ષમાનો પહેલાં બે અનુષ્ઠાનમાં અને છેલ્લા બે પ્રકારની ક્ષમાનો છેલ્લાં બે અનુષ્ઠાનમાં સમાવેશ થાય છે.’- આ પ્રમાણે દશમી ગાથાનો સામાન્યાર્થ છે. આશય એ છે કે જેણે આપણી ઉપર ઉપકાર કર્યો છે તે આપણા ઉપકારી છે. જેણે આપણી ઉપર અપકાર કર્યો છે તે આપણો અપકારી છે. ઉપકાર કરનાર ઉપકારવાનને ઉપકારી કહેવાય છે અને અપકાર કરવામાં પ્રવૃત્તને અપકારી કહેવાય છે. શુભાશુભકર્મના ફળના અનુભવને સામાન્યથી વિપાક કહેવાય છે. અહીં અનર્થની પરંપરા સ્વરૂપ-એવો વિપાક ગ્રહણ કરવાનો છે. વચન આગમસ્વરૂપ છે અને પ્રશમ વગેરે આત્મસ્વભાવ અહીં ધર્મ છે. ઉપકારી વગેરે જેમાં પ્રધાન-મુખ્ય છે, એવી ક્ષમાને અનુક્રમે ઉપકારીક્ષમા; અપકારીક્ષમા; વિપાકક્ષમા; વચનક્ષમા અને ધર્મક્ષમા કહેવાય છે. આ પાંચ પ્રકારની ક્ષમામાંથી પહેલા ત્રણ પ્રકારની ક્ષમા; પ્રીતિ-અનુષ્ઠાન અને ભક્ત્યનુષ્ઠાનમાં સમાય છે અને છેલ્લી બે ક્ષમાઓ વચનાનુષ્ઠાન અને અસંગાનુષ્ઠાનમાં સમાય છે. ઉપકારને કરનારા ઉપકારી છે. ઉપકારીએ કહેલા દુર્વચનને સહન કરતી વખતે ઉપકારીક્ષમા હોય છે. ઉપકારીના વચનને હું સહન કરીશ નહિ તો ઉપકારનો સંબંધ ક્ષય પામશે.'-એમ સમજીને ઉપકારીના દુર્વચનને સહન કરાય છે ત્યારે આ પ્રથમ પ્રકારની ઉપકારીક્ષમા' કહેવાય છે. વચનક્ષમા અને ધર્મક્ષમાનું જે ફળ છે, તેવું ફળ ૨૦
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy