________________
પ્રીત્યનુષ્ઠાન, ભક્ત્યનુષ્ઠાન, વચનાનુષ્ઠાન અને અસઙ્ગાનુષ્ઠાન-આ ચાર અનુષ્ઠાનોમાં છેલ્લાં બે અનુષ્ઠાનો અપાયરહિત છે. સામાન્ય રીતે અતિચાર, આસઙ્ગ-આસિક્ત અને નિયાણું વગેરે મોક્ષના અપાય છે. આ અપાયો વચનાનુષ્ઠાન કે અસફ્ગાનુષ્ઠાન દરમ્યાન હોતા નથી. પ્રીત્યનુષ્ઠાન કે ભક્ત્યનુષ્ઠાનમાં એ અપાયો હોય છે. આથી જ આગમમાં જણાવ્યું છે કે પૂર્વસંયમ સ્વર્ગનું કારણ છે અને અપૂર્વસંયમ મોક્ષનું કારણ છે. સરાગસંયમને પૂર્વસંયમ કહેવાય છે અને અપૂર્વ-સંયમ; નીરાગસંયમને કહેવાય છે. પ્રીત્યનુષ્ઠાન અને ભક્ત્યનુષ્ઠાન વખતે રાગ હોવાથી સરાગસંયમનો એ બેમાં સમાવેશ થાય છે અને અપૂર્વ-સંયમનો સમાવેશ વચનાનુષ્ઠાન અને અસઙ્ગાનુષ્ઠાનમાં થાય છે. આથી સમજી શકાશે કે વચનાનુષ્ઠાન અને અસાનુષ્ઠાનની પ્રાપ્તિ વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. સંયમજીવનની સાધના પણ જ્યારે વચનાનુષ્ઠાનાદિમાં પરિણમતી હોય છે ત્યારે જ તે મોક્ષનું કારણ બનતી હોય છે. શાસ્ત્રકાર પરમર્ષિઓએ; પ્રારંભથી જ મુમુક્ષુ આત્માઓને મોક્ષનો આશય પ્રાપ્ત થાયએ માટે વ્યવસ્થિત રીતે પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નથી રચાયેલાં પણ આવાં શાસ્ત્રોનો આધાર લઈને ‘સંસારના સુખ માટે પણ ધર્મ જ થાય અને એ ધર્મ સદનુષ્ઠાન છે...' વગેરે જણાવનારા કેટલાક ઉપદેશકો જાણી-જોઈને સદનુષ્ઠાનને વિકૃતસ્વરૂપે વર્ણવી રહ્યા છે. અનાદિકાળથી આ સંસારમાં જીવનું અસ્તિત્વ છે. આ સંસારમાંથી જીવનું અસ્તિત્વ મટી જાય-એ માટેના ઉપાયો જીવની યોગ્યતાને અનુલક્ષીને
૨૮૮