________________
જે વળી અભ્યાસના અતિશયે આત્મસાત્ થયાની જેમ પુરુષો દ્વારા કરાય છે; તેને અસંક્શ-અનુષ્ઠાન કહેવાય છે. પૂર્વવચનના સંસ્કારથી આ અસગ્ગાનુષ્ઠાન થાય છે.” આ પ્રમાણે સાતમી ગાથાનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે વચનાનુષ્ઠાનને વારંવાર કરવાથી જે અનુષ્ઠાન અભ્યાસના પ્રકર્ષને લઈને આત્માની સાથે એકરૂપ થયેલું જાણે ન હોય તે રીતે કરાય છે, તે અનુષ્ઠાનને અસલ્ગાનુષ્ઠાન કહેવાય છે. ચંદનનો ગંધ જેમ સ્વભાવથી જ છે; કોઈ બીજા ગંધથી એ સુગંધિત થયેલું નથી તેમ ચંદનના ગંધન્યાયે શ્રી જિનકલ્પિક શ્રી તીર્થંકર પરમાત્માની જેમ ચારિત્રને પાળનારા વગેરે મહાત્માઓને આ અસગ્ગાનુષ્ઠાન સ્વભાવથી જ હોય છે. સંયમજીવનની વર્ષોની વચનાનુષ્ઠાનની આરાધનાના પ્રભાવે પ્રથમના એ વચનાનુષ્ઠાનના સંસ્કારના કારણે આ અસલ્ગાનુષ્ઠાન થાય છે. ૧૦-૭ી.
વચનાનુષ્ઠાન અને અસલ્ગાનુષ્ઠાન-એ બેમાં જે વિશેષ છે તે જણાવાય છે –
चक्रभ्रमणं दण्डात् तदभावे चैव यत्परं भवति । वचनासङ्गानुष्ठानयोस्तु तज्ज्ञापकं ज्ञेयम् ॥१०-८॥
દણ્ડના કારણે ચક્ર ફરે છે તેમ જ બીજાં ચક્રભ્રમણ દણ્ડના અભાવમાં થાય છે, આ ઉદાહરણ વચનાનુષ્ઠાન અને અસલ્ગાનુષ્ઠાનની વિશેષતામાં જાણવું.” આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે.