________________
છે તેને જ તેઓ કર્તવ્ય તરીકે માને છે. છઠ્ઠ ગુણસ્થાનક આ રીતે લોકસંજ્ઞાથી રહિત હોવાથી તે ગુણસ્થાનકની પ્રાપ્તિના કારણે પૂ. સાધુભગવંતો ભવસ્વરૂપ દુર્ગને લંઘી જાય છે. આવા ચારિત્રવંત મહાત્માઓને જ વચનાનુષ્ઠાન હોય છે, બીજાને તે હોતું નથી.
આ ગાળામાં જણાવેલી એ વાત નિશ્ચયનયને આશ્રયીને છે. વ્યવહારનયની અપેક્ષાએ તો પ્રથમ ગુણસ્થાનકે રહેલા માર્ગાનુસારી જીવોને પણ પોતાની ભૂમિકા મુજબ શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનમાં પ્રવૃત્તિ કરતી વખતે અંશતઃ વચનાનુષ્ઠાન હોય છે. કારણ કે પ્રથમ ગુણસ્થાનકે સર્વથા વચનાનુષ્ઠાન ન હોય તો ત્યાર પછીના ચોથા, પાંચમા..વગેરે ગુણસ્થાનકે પણ તેનો સંભવ નહીં રહે. સર્વથા અસની ઉત્પત્તિનો સંભવ નથી. તેથી માર્ગાનુસારી જીવોને પણ અંશતઃ આ વચનાનુષ્ઠાન હોય છે જ. આથી સમજી શકાશે કે પૂર્ણપણે વચનાનુષ્ઠાન ચારિત્રસંપન મહાત્માઓને જ છઠ્ઠા ગુણસ્થાનકે હોય છે. એમાં લોકસંજ્ઞાનું રહિતપણું મુખ્ય કારણ છે. લોકસંજ્ઞાને આધીન બનેલા પોતે તો ભવદુર્ગનું ઉલ્લંઘન કરી જ શકતા નથી અને બીજાને પણ તે કરાવી શકતા નથી. .૧૦-દા
પ્રથમ
અસદા ગુણસ્થાન હોય તો
સદનુષ્ઠાનમાંના ચોથા અસગ્ન અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છે –
यत्त्वभ्यासातिशयात् सात्मीभूतमिव चेष्ट्यते सद्भिः । तदसङ्गानुष्ठानं भवति त्वेतत् तदावेधात् ॥१०-७॥