________________
છે. આગમ પ્રત્યેના અગાધ બહુમાનના કારણે વચનાનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. આથી જ આગમમાં જણાવ્યા મુજબ દેશ, કાળ, પુરુષ અને વ્યવહાર વગેરેને આશ્રયીને ઔચિત્ય સચવાય છે. પડિલેહણાદિ અનુષ્ઠાનો માટે જે દેશ, કાળ વગેરે આગમમાં જણાવ્યા છે તે દેશકાલાદિમાં અનુષ્ઠાન કરવાથી સર્વત્ર ઔચિત્ય સચવાય છે. દેશકાળાદિને આશ્રયીને ઔચિત્યપૂર્વકની આગમાનુસારિણી પ્રવૃત્તિ વચનાનુષ્ઠાન છે. અપરિણતાદિ લોકો જ્યાં ન હોય ત્યાં પડિલેહણ કરવું; ત્રીજા પ્રહરના અંતે અને ચોથા પ્રહરના અંતે પડિલેહણ કરવું રત્નાધિકોના ક્રમે પડિલેહણ કરવું અને મુહપત્તી, રજોહરણ, આસન વગેરેના ક્રમે પડિલેહણ કરવું. ઈત્યાદિ રીતે, પડિલેહણાદિ અનુષ્ઠાન [ધર્મવ્યાપાર પ્રત્યે જે દેશ, કાળ, પુરુષ, વ્યવહાર વગેરે દ્રિવ્ય, ભાવ વગેરે) આગમમાં વિહિત છે તે દેશકાલાદિને અનુસરીને જ તે તે અનુષ્ઠાન કરવાથી ઉપર જણાવ્યા મુજબ વચનાનુષ્ઠાન પ્રાપ્ત થાય છે.
આવા પ્રકારનું વચનાનુષ્ઠાન ચારિત્રવંતને જ હોય છે. કારણ કે ચારિત્રવંત સાધુભગવંતને જ ભવદુર્ગ[કિલ્લોને લંઘી જવાનું શક્ય બને છે. પૂ. સાધુભગવંતોને લોકસંજ્ઞાનો અભાવ હોવાથી છઠ્ઠા ગુણસ્થાનકની પ્રાપ્તિ થવાના કારણે ભવદુર્ગને લંઘી જવાનું શક્ય બને છે. ઘણા લોકોનું આલંબન લઈને જે કરાય છે, તેને લોકસંજ્ઞા કહેવાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા પૂ. સાધુભગવંતો એવી લોકસંજ્ઞાથી મુક્ત હોય છે. ઘણા લોકો કરે છે માટે તે પ્રવૃત્તિને કર્તવ્યરૂપે તેઓ માનતા નથી. પરંતુ શ્રી તીર્થંકરપરમાત્માએ. જેનું વિધાન કર્યું