________________
ચાર પ્રકારના સદનુષ્ઠાનમાંથી ત્રીજા અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છે – - वचनात्मिका प्रवृत्तिः सर्वत्रौचित्ययोगतो या तु । वचनानुष्ठानमिदं चारित्रवतो नियोगेन ॥१०-६॥
“સર્વત્ર ઔચિત્યના યોગથી જે આગમાનુસારિણી [તેથી જ આગમસ્વરૂપ જે પ્રવૃત્તિ છે; તે આ વચનાનુષ્ઠાન છે. ચારિત્રસંપન્ન આત્માઓને જ તે અનુષ્ઠાન હોય છે. બીજાને વચનાનુષ્ઠાન હોતું નથી.”- આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અર્થ છે. આશય એ છે કે ક્ષમા કે પ્રતિલેખના પિડિલેહણ] વગેરે બધાં જ ધર્માનુષ્ઠાનોની જે પ્રવૃત્તિ છે, તે જો આગમમાં જણાવેલા અર્થના સ્મરણપૂર્વક થતી હોય અને દેશ, કાળ, પુરુષ અને વ્યવહારના ઔચિત્યપૂર્વક થતી હોય તો તેને “વચનાનુષ્ઠાન' કહેવાય છે. પરિણામસ્વરૂપ પ્રવૃત્તિ કે ક્રિયાસ્વરૂપ [બાહ્ય પ્રવૃત્તિ કરવાનું આગમમાં જે રીતે ફરમાવ્યું છે, તેનું સ્મરણ કરીને તે તે પ્રવૃત્તિ કરીએ અને ત્યારે દેશ, કાળ, પુરુષ કે વ્યવહારના ઔચિત્યનો ભંગ થતો ન હોય તો તે અનુષ્ઠાન વચનાનુષ્ઠાન સ્વરૂપ છે. * ક્ષમા વગેરે અનુષ્ઠાનો આગમમાં વિહિત છે તેથી તે અનુષ્ઠાનો તે રીતે જ કરવાં જોઈએ. અન્યથા અનુષ્ઠાનની પ્રીતિ અથવા પવિત્રતાને જ જોઈને તે તે અનુષ્ઠાનો કરીએ તો તે અનુષ્ઠાન વચનાનુષ્ઠાનસ્વરૂપે નહિ પરિણમે. “શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા છે માટે કરવાનું છે, મને ગમે છે માટે નહિ અને એ પૂજ્ય-મહાન [પવિત્ર છે માટે નહિ'આવો ભાવ જ અનુષ્ઠાનને વચનાનુષ્ઠાનસ્વરૂપે પરિણાવે