________________
બંન્નેના કૃત્યમાં જે વિશેષ છે; એ વિશેષ અહીં પ્રીતિ અને ભક્તિના વિશેષમાં દૃષ્ટાન્ત છે.” આ પ્રમાણે પાંચમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે પત્ની અને માતા અત્યન્ત પ્રિય છે. બંન્નેને ભોજન, વસ્ત્ર, અલંકાર અને ઔષધાદિની આવશ્યકતા હોય છે. તેમને તે તે વસ્તુ આપતી વખતે આપવાની ક્રિયા સરખી હોવા છતાં ભાવમાં ફરક છે. પત્નીનું કાર્ય પ્રેમથી કરાય છે અને માતાનું કાર્ય ભક્તિથી કરાય છે. આવી જાતિનો જ ફરક પ્રીતિ-અનુષ્ઠાન અને ભક્ત્યનુષ્ઠાનમાં છે. અનુષ્ઠાન અનુષ્ઠાનસ્વરૂપે એક હોવા છતાં પ્રીતિ અને ભક્તિના કારણે એ બંન્ને જાદાં છે. અનુષ્ઠાન પ્રીતિ અને ભક્તિથી જન્ય છે. તેથી તેને અનુક્રમે પ્રીતિઅનુષ્ઠાન અને ભક્તિ-અનુષ્ઠાન કહેવાય છે. અનુષ્ઠાનમાં કોઈ પ્રીતિ નથી અને કોઈ ભક્તિ નથી. પ્રીતિ અને ભક્તિ આત્માનો પરિણામવિશેષ છે:
દાર્શનિક પરિભાષામાં કહીએ તો હર્ષમાં રહેલ જાતિવિશેષસ્વરૂપ પ્રીતિત્વ અને ભક્તિત્વ છે. અર્થાત્ હર્ષવિશેષસ્વરૂપ પ્રીતિ છે અને હર્ષ-વિશેષ-સ્વરૂપ ભક્તિ છે. અહીં એ સમજી લેવું જોઈએ કે પ્રીતિ-અનુષ્ઠાન કરતી વખતે સામાન્ય રીતે અનુષ્ઠાન સરસ છે’ - એવા ભાવથી તે અનુષ્ઠાન થતું હોય છે. એમાં મુખ્યપણે ક્રિયાની અભિરુચિ કરવાની અભિરુચિ) કારણ બને છે; અને ભક્તિ-અનુષ્ઠાન કરતી વખતે અનુષ્ઠાન પ્રત્યેની ભક્તિબહુમાન (અનુષ્ઠાન પરમપવિત્ર છે, આત્માને ગુણસમ્પન્ન બનાવનારું છે...... ઇત્યાદિ પ્રકારનું) હોવાથી તે થાય છે.
૨૭૯૦