________________
ગાથાનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે; ભકત્યનુષ્ઠાન બાહ્યદૃષ્ટિએ પ્રવૃત્તિ વગેરેને આશ્રયીને પ્રીત્યનુષ્ઠાનજેવું જ હોય છે. પરંતુ ભકત્યનુષ્ઠાનમાં એક પૂજ્યત્વનો સંબંધ અધિક હોય છે. પ્રીતિ-અનુષ્ઠાન વખતે જે પરિણામ છે એ પરિણામની અપેક્ષાએ ભકત્યનુષ્ઠાન વખતે ગૌરવ-પૂજ્યત્વનો પરિણામ વિશેષ હોય છે. એ પૂજ્યત્વના ભાવના કારણે ભકત્યનુષ્ઠાનકર્તાનું એ અનુષ્ઠાન, પ્રીત્યનુષ્ઠાનની અપેક્ષાએ વિશુદ્ધતર ક્રિયાવાળું હોય છે. પ્રીતિ અને પૂજ્યતા - એ બેના યોગે અનુષ્ઠાન ખૂબ જ વિશુદ્ધ બને.
એ સમજી શકાય છે. પ્રીતિ-અનુષ્ઠાન અને ભઢ્યનુષ્ઠાન એ બંનેમાં જે વિશેષતા છે – તેને ગ્રહણ (સમજવું) કરવા માટે સમર્થ એવા બુદ્ધિમાન આત્માઓ; પોતાના એ સામર્થ્યથી વિશુદ્ધતર અનુષ્ઠાન કરે છે. બુદ્ધિમાન આત્માઓનું ગૌરવવિશેષથી યુક્ત પ્રકૃષ્ટ વિશુદ્ધિવાળું અને બાહ્યદૃષ્ટિએ પ્રીત્યનુષ્ઠાનજેવું અનુષ્ઠાન ભઢ્યનુષ્ઠાન છે... I૧૦-૪ll
પ્રીતિ અને ભક્તિ-એ બેમાં જે વિશેષ છે તે જણાવાય
. अत्यन्तवल्लभा खलु पत्नी तद्वद्धिता च जननीति । तुल्यमपि कृत्यमनयो तिं स्यात् प्रीतिभक्तिगतम् ॥१०-५॥
પત્ની અત્યન્ત પ્રિય જ છે; તેમ માતા પણ હિત કરનારી હોવાથી અત્યન્ત પ્રિય જ છે. તે બંનેને કૃત્યપ્રયોજન (ભોજન, વસ્ત્ર વગેરેનું) પણ સરખું છે; છતાં એ