________________
બીજાં બધાં કામો પડતાં મૂકીને કરાય છે - એ આપણા અનુભવની વાત છે. અત્યારે શું કામ છે ? અત્યારે નથી કરવું; પછી કરીશ - આવા પ્રકારની કોઈ પણ જાતની વિચારણા કર્યા વિના તત્કાલ તન્મયતાપૂર્વક જે અનુષ્ઠાન થાય છે - એ પ્રીત્યનુષ્ઠાન છે.
આથી સમજી શકાશે કે જે અનુષ્ઠાન બીજાં બધાં કામો પડતાં મૂકી કરાય છે, જેમાં પરમ હિતોદયવાળી પ્રીતિ થાય છે અને જે અનુષ્ઠાન પરમ આદરથી થાય છે તે અનુષ્ઠાનને પ્રીત્યનુષ્ઠાન કહેવાય છે. મોક્ષસાધક અનુષ્ઠાનની શરૂઆત જ આ પ્રીત્યનુષ્ઠાનથી થાય છે. મોક્ષની પ્રીતિ તેના સાધનભૂત અનુષ્ઠાનમાં પરિણમે છે, જેથી પ્રીત્યનુષ્ઠાનનો ઉદ્ભવ થાય છે. “મોક્ષની પ્રીતિ ન હોય તોપણ પ્રીત્યનુષ્ઠાન થાય છે” એમ માનવાનું ઉચિત નથી. સંસારના સુખ પ્રત્યેની પ્રીતિથી પ્રીત્યનુષ્ઠાન ન થાય, એટલી સમજણ મોક્ષના અર્થમાં હોવી જ જોઈએ. ૧૦-૩
ભઢ્યનુષ્ઠાનસ્વરૂપ બીજા સદનુષ્ઠાનનું સ્વરૂપ વર્ણવાય
__ गौरवविशेषयोगाद् बुद्धिमतो यद्वशुद्धतरयोगम् । क्रिययेतरतुल्यमपि ज्ञेयं तद्भक्त्यनुष्ठानम् ॥१०-४॥
પ્રીતિ-અનુષ્ઠાનજેવું પણ જે અનુષ્ઠાન; ગૌરવવિશેષના યોગથી બુદ્ધિમાન માણસનું વિશુદ્ધતરવ્યાપારવાનું છે તે અનુષ્ઠાનને “ભકત્યનુષ્ઠાન” કહેવાય છે. - આ પ્રમાણે ચોથી