SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ નથી; શક્તિ નથી, ઉલ્લાસ નથી, ઘરના લોકો ના પાડે છે; શરીર પ્રતિકૂળ છે; વાતાવરણ સારું નથી......' વગેરે કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના જે જે વસ્તુની ઊણપ વર્તાતી હોય, તે તે ઊણપને દૂર કરી અનુષ્ઠાનને પૂર્ણ બનાવનારા પ્રયત્નને પ્રયત્નાતિશય કહેવાય છે. અપ્રશસ્ત માર્ગમાં થનારી પ્રવૃત્તિ વખતે એ પ્રયત્નાતિશયનો આપણને અનુભવ છે. પૂજા વગેરે; ગૃહસ્થસંબન્ધી અને સ્વાધ્યાયાદિ; મુનિભગવન્તો સંબન્ધી અનુષ્ઠાનમાં આવો પ્રયત્નાતિશયસ્વરૂપ આદર બહુ જ ઓછો જોવા મળે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને થનારાં તે તે અનુષ્ઠાન વખતે તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને પ્રાપ્ત કરવા ખૂબ જ પ્રયત્ન કરવો પડતો હોય છે. અનુષ્ઠાન પ્રત્યેની પ્રીતિ વગર એ શક્ય નથી. દુનિયાના દરેક ક્ષેત્રમાં એ સ્પષ્ટપણે જોવા મળે છે. આવું જ લોકોત્તર અનુષ્ઠાનમાં બની જાય તોં પ્રીતિ-અનુષ્ઠાન સહજ રીતે જ બની જાય. સાવ જ શિથિલ પ્રયત્નથી કરાતાં અનુષ્ઠાનોપ્રીતિ-અનુષ્ઠાનસ્વરૂપ નહિ બને. આ રીતે આદરપૂર્વક કરાતા એ અનુષ્ઠાનમાં તેના કર્તાને અભિરુચિ જાગે છે, જેનાથી ભવિષ્યમાં હિતની પ્રાપ્તિ થતી હોય છે. રોગીને અપથ્યમાં અભિરુચિ થાય છે પરન્તુ એનાથી તેને અહિતની પ્રાપ્તિ થાય છે. એવું પ્રીત્યનુષ્ઠાનસ્થળે બનતું નથી. પ્રીત્યનુષ્ઠાનસંબન્ધી જે અભિરુચિ (ગાઢરુચિ) છે, તે હિતના ઉદયવાળી છે. આવી અભિરુચિને લઇને જ પ્રીત્યનુષ્ઠાન બીજાં બધાં કામોને પડતાં મૂકીને કરવામાં આવે છે. જેની પ્રત્યે પરમ પ્રીતિ છે તે અનુષ્ઠાન ૨૭૬
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy