________________
તરીકે અહીં વર્ણવવા છતાં સંસારસુખની ઇચ્છાથી પણ કરાતા અનુષ્ઠાનને પ્રીતિ કે ભક્તિ અનુષ્ઠાન કહેવાય છે -એ જણાવનારા; શ્રી ષોડશકપ્રકરણને વિકૃતરૂપે રજૂ કરી રહ્યા છે. સર્વમેવૈતનું પરમ સાધનમ્' બીજી ગાથાનાં આ પદોનો વિચાર કરવાથી સમજી શકાશે કે પ્રત્યનુષ્ઠાનાદિને સદનુષ્ઠાન કહેવાનું કારણ એ એક જ છે કે તે પરમપદનાં સાધન છે. “પરમપદનું સાક્ષાત્ કે પરંપરાએ સાધન ન બને તોપણ તે સદનુષ્ઠાન છે.'-આ પ્રમાણે જણાવવાનું તાત્પર્ય અહીં નથી. ૧૦-રો
ચાર પ્રકારના સદનુષ્ઠાનમાંના પ્રથમ સદનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છે –
यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः। शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् ॥१०-३॥
જે અનુષ્ઠાનમાં પરમ આદર છે; એ કરનારને હિતના 'ઉદયવાળી પ્રીતિ થાય છે અને બીજાં કાર્યોનો ત્યાગ કરીને જે અનુષ્ઠાન કરાય છે તે અનુષ્ઠાનને પ્રીતિ-અનુષ્ઠાન કહેવાય છે. - આ પ્રમાણે ત્રીજી ગાથાનો અર્થ છે. આશય એ છે કે જે અનુષ્ઠાન કરતી વખતે પરમ આદર હોય છે, તે અનુષ્ઠાનને સામાન્યથી પ્રીતિ-અનુષ્ઠાન કહેવાય છે. અનુષ્ઠાન માટે કરાતો પ્રયત્નાતિશય અહીં અનુષ્ઠાન પ્રત્યેનો પરમ આદર છે. સામાન્યકોટિના પ્રયત્નથી થતા અનુષ્ઠાનને પ્રીતિઅનુષ્ઠાન કહેવાનું ઉચિત નથી. અનુષ્ઠાન પ્રત્યેની પ્રીતિના કારણે પૂરતા પ્રયત્ન એ અનુષ્ઠાન થતું હોય છે. “સાધન