SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ તરીકે અહીં વર્ણવવા છતાં સંસારસુખની ઇચ્છાથી પણ કરાતા અનુષ્ઠાનને પ્રીતિ કે ભક્તિ અનુષ્ઠાન કહેવાય છે -એ જણાવનારા; શ્રી ષોડશકપ્રકરણને વિકૃતરૂપે રજૂ કરી રહ્યા છે. સર્વમેવૈતનું પરમ સાધનમ્' બીજી ગાથાનાં આ પદોનો વિચાર કરવાથી સમજી શકાશે કે પ્રત્યનુષ્ઠાનાદિને સદનુષ્ઠાન કહેવાનું કારણ એ એક જ છે કે તે પરમપદનાં સાધન છે. “પરમપદનું સાક્ષાત્ કે પરંપરાએ સાધન ન બને તોપણ તે સદનુષ્ઠાન છે.'-આ પ્રમાણે જણાવવાનું તાત્પર્ય અહીં નથી. ૧૦-રો ચાર પ્રકારના સદનુષ્ઠાનમાંના પ્રથમ સદનુષ્ઠાનનું સ્વરૂપ જણાવાય છે – यत्रादरोऽस्ति परमः प्रीतिश्च हितोदया भवति कर्तुः। शेषत्यागेन करोति यच्च तत्प्रीत्यनुष्ठानम् ॥१०-३॥ જે અનુષ્ઠાનમાં પરમ આદર છે; એ કરનારને હિતના 'ઉદયવાળી પ્રીતિ થાય છે અને બીજાં કાર્યોનો ત્યાગ કરીને જે અનુષ્ઠાન કરાય છે તે અનુષ્ઠાનને પ્રીતિ-અનુષ્ઠાન કહેવાય છે. - આ પ્રમાણે ત્રીજી ગાથાનો અર્થ છે. આશય એ છે કે જે અનુષ્ઠાન કરતી વખતે પરમ આદર હોય છે, તે અનુષ્ઠાનને સામાન્યથી પ્રીતિ-અનુષ્ઠાન કહેવાય છે. અનુષ્ઠાન માટે કરાતો પ્રયત્નાતિશય અહીં અનુષ્ઠાન પ્રત્યેનો પરમ આદર છે. સામાન્યકોટિના પ્રયત્નથી થતા અનુષ્ઠાનને પ્રીતિઅનુષ્ઠાન કહેવાનું ઉચિત નથી. અનુષ્ઠાન પ્રત્યેની પ્રીતિના કારણે પૂરતા પ્રયત્ન એ અનુષ્ઠાન થતું હોય છે. “સાધન
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy