________________
પૂજા વગેરે કરવું જોઈએ... આવી રીતે પૂજા વગેરે સંબન્ધી ઉચિતક્રમ અનેક જાતનો છે. એવા ઉચિત ક્રમને આચરવાથી પુણ્યાનુબન્ધી પુણ્ય સ્વરૂપ બીજનો વાસ થાય છે. વિવેકપૂર્ણ પ્રવૃત્તિમાં જ ઉચિત ક્રમ સચવાય છે. વિવેકશૂન્ય પ્રવૃત્તિથી પુણ્યાનુબન્ધી પુણ્યનો નિક્ષેપ થતો નથી.
- પ્રશાન્તવાહિતાથી થયેલા એ બીજન્યાસથી અનુષ્ઠાનની પ્રવૃત્તિ નિયમિતપણે થાય છે. અનુષ્ઠાનના એ અભ્યાસથી પુરુષોને એ અનુષ્ઠાન સદનુષ્ઠાન સ્વરૂપે પરિણમે છે. ૧૦-૧
સદનુષ્ઠાનને તેના પ્રકારને આશ્રયીને જણાવાય છેतत्प्रीतिभक्तिचनासङ्गोपपदं चतुर्विधं गीतम् । तत्त्वाभिज्ञैः परमपदसाधनं सर्वमेवैतत् ॥१०-२॥
“પ્રીતિ, ભક્તિ, વચન અને અસગ-આ પૂર્વપદ છે જેનાં એવું સદનુષ્ઠાન તત્ત્વજ્ઞોએ ચાર પ્રકારનું જણાવ્યું છે. એ ચારેય સદનુષ્ઠાન પરમપદનાં સાધન છે.” - આ પ્રમાણે બીજી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે “પ્રીતિ', “ભક્તિ', “વચન”, “અસલ્ગ' - આ ચાર પદોને “અનુષ્ઠાન' પદની પૂર્વમાં જોડીને તે તે પદથી જણાતાં અનુષ્ઠાન સદનુષ્ઠાન છે. અર્થાત્ પ્રીત્યનુષ્ઠાન, ભકત્યનુષ્ઠાન, વચનાનુષ્ઠાન અને અજ્ઞાનુષ્ઠાન- આ ચાર પ્રકારના કારણે સદનુષ્ઠાન ચાર પ્રકારનું છે. સદનુષ્ઠાનના સ્વરૂપના જાણકારોએ ચાર પ્રકારના સદનુષ્ઠાનને પરમપદ-મોક્ષના સાધન તરીકે જણાવ્યું છે. પ્રત્યનુષ્ઠાનાદિ દરેક સદનુષ્ઠાનને મોક્ષનું સાધન