________________
છે તેનાથી બીજનો ન્યાસ થાય છે. એ બીજન્યાસના કારણે શ્રી જિનપૂજાદિના અભ્યાસથી આત્માને પુણ્યોદયની સહાય પ્રાપ્ત થાય છે, જેથી ક્રમે કરી સદનુષ્ઠાન પ્રાપ્ત થાય છે.
વિષયકષાયની પરિણતિ જેની શાન્ત થઈ છે એવા ચિત્તને પ્રશાન્તચિત્ત કહેવાય છે. પરમતારક શ્રી વીતરાગપરમાત્માની પૂજા કરવાથી રાગાદિની પરિણતિ શાન્ત થાય - એ સમજી શકાય-એવી વાત છે. પ્રશાન્તચિત્તને વહન કરવાના સ્વભાવના આશ્રયને પ્રશાન્તવાહી કહેવાય છે. એમાં પ્રશાન્તવાહિતા રહી છે, જે ચિત્તના સંસ્કારવિશેષસ્વરૂપ છે. એ સંસ્કારથી ચિત્ત પ્રશાન્ત બની રહે છે અને તેથી પ્રશાન્તવાહિતાને લઈને પુણ્યાનુબન્ધી પુણ્ય સ્વરૂપ બીજનો ન્યાસ થાય છે. આ પુણ્યાનુબન્ધી પુણ્યની પ્રાપ્તિ પણ ઉચિતક્રમના કારણે થાય છે. અહીં પૂજાના અનુષ્ઠાનના ઉચિતક્રમને જાળવવામાં ન આવે તો પુણ્યાનુબન્ધી પુણ્યનું ઉપાર્જન થતું નથી. દ્રવ્ય, દેશ, કાળ, અવસ્થા, શબ્દ, સ્થાપના ઇત્યાદિનાં વિષયમાં ઔચિત્ય અનેક જાતનું છે. પૂજા કરનારે ન્યાયોપાત્તવત્તથી મેળવેલાં, સારભૂત પ્રમાણોપેત અને અતુચ્છ દ્રવ્યોથી પૂજા કરવી જોઈએ. યોગ્ય દેશમાં ઊભા રહીને બીજાને દર્શનાદિમાં અન્તરાય ન થાય એ રીતે તે તે જગ્યાએ ઊભા રહીને પૂજા કરવી જોઈએ. મધ્યાહ્નાદિ કાળે પૂજા કરવી જોઈએ. પરમાત્માની ત્રણ અવસ્થા (પિંડસ્થાદિ) ભાવવી જોઈએ. સ્તોત્રપૂજા વખતે સૂત્ર, ચૈત્યવંદન, સ્તુતિ વગેરે મધુરાદિ શબ્દોથી બોલવાં જોઈએ અને પ્રતિમાજી ધાતુનાં કે આરસાદિનાં છે - એ જોઈને તે તે રીતે